SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મઃશુદ્ધિ અને સ્વનિરીક્ષણ ૧૧૩ છીએ અને દોષ આપી વૃત્તિને વળ ચઢાવીએ છીએ, આ સ્વબચાવ કે ઉન્માર્ગ છે. ૦ દેહાદિના વિસ્તારથી આત્મવિસ્મૃતિ થઈ છે દેહ અને મન અજેન્યથી પ્રભાવિત થતાં રહે છે. બાહ્ય મન સ્કૂલ છે. ચિત્તને સૂફમ મન કહીશું. ચિત્ત મન કરતાં ઉપરની ભૂમિકામાં છે. સંવેદનશીલ છે. મનના પ્રકારે સ્મૃતિ, બુદ્ધિ, સંકલ્પ, વિકલ્પ, વિચાર ઈત્યાદિ છે. ચિત્ત એ ચેતનાનું સૂક્ષ્મ પરિણમન છે. સંસ્કારવશ ચિત્તમાં ઊઠતી પર્યાયે – પરિણતિ, પદાર્થના આકષણથી તે તે પદાર્થરૂપે થાય છે અર્થાત્ તેવી માન્યતા થાય છે. આમ વિવશતા અને વિભાવભાવથી ચિત્તના પરિણામો ચંચળ થયા કરે છે. આત્માનું મૂળ દ્રવ્ય (દશા) આવાં વિભાવ-પરિણામેથી મુક્ત છે. આત્માનું લક્ષણ ચેતના છે, તેના બે ઉપગ છે. દર્શન(જેવું) અને જ્ઞાન(જાણવું). આ ઉપગ મન કે ચિત્ત દ્વારા વહન થાય છે. આત્મા, મૂળ દષ્ટિએ જોતાં, એક શુદ્ધ અસ્તિત્વ છે. ઉપગપરિણામ એ તેની અભિવ્યક્તિ છે, વિભાવજનિત ભ વડે મૂળ આત્મદ્રવ્યની વિસ્મૃતિ થઈ છે. એટલે વિકારી દશા થાય છે. આત્માએ માનવદેહ ધારણ કર્યો, રૂપ ધારણ કર્યું તેને નામ મળ્યું. પછી એ નામધારી તે તેવી માન્યતા પાકી થઈ ગઈ અને દેહનું ફલક વિસ્તરતું ગયું. એના નામને કઈ મહત્ત્વ આપે કે માન આપે તે ગમે છે, અને અપમાન થાય તે એકલે બેઠે પણ તે દુઃખ અનુભવે છે. એક નામને બચાવવા, વિસ્તારવા, મોટું ગણુવવા એ કેટલો મોટો ભેગ આપે છે. તે આત્મધન લૂંટાવી દે છે. આવો જડ અને ચેતનને એક ખેલ દીર્ઘકાળથી ચાલ્યા જ કરે છે. આ દેહના નામ સાથે જોડાયેલા ધન, ધાન્ય, પરિવાર, વ્યાપાર, વ્યવહાર સૌમાં પિતાપણું એવું દઢ થયું છે કે તે મૃત્યુ કે અસાધ્ય રોગ જેવા પ્રસંગેને નિહાળે છે છતાં પતે તે નિર્ભય થઈ ફરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy