SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મનની ગતિવિધિ મન:શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ભારતના સર્વદર્શનના આચાર્યોએ અને દ્રષ્ટાઓએ એક વાત કહી છે કે, સંસારનાં સુખદુઃખાદિનું કારણ મનની અધોમુખતા, બહિર્મુખતા કે અશુદ્ધતા છે. એ મનને જીતવું અતિ દુષ્કર છે. માટે પ્રથમ મનને શુદ્ધ કરે, શાંત કરે કે સંયમમાં રાખે. તે પછી સાચા માનવજીવનને પ્રારંભ થાય છે. દ્રવ્ય મન, – સ્થૂલ મન – બાહ્ય મન જડ છે તે આત્માના ચેતનાના ઉપયોગ વડે સંચરિત થાય છે. આત્મા તે સ્વયં શુદ્ધ અને ચેતનગુણવાળે છે. જડ મન આત્માનું શું બગાડી શકે ? દ્રવ્યમના ભાવમનના – આત્મઉપયોગ વડે સંચારિત થાય છે. જે તે બાહ્ય વિષયમાં ભમે તે જીવને બંધનરૂપ છે અને અંતરમુખ થાય તે મુક્તિનું સાધન બને છે. આત્મા તત્વતઃ શુદ્ધ હોવા છતાં વર્તમાનની અશુદ્ધદશાનું કારણ મન-વચન-કાયાના અશુદ્ધ યોગ છે, તેમાં મનની કષાયરૂપ અશુદ્ધિની મુખ્યતા છે. શ્રી આનંદઘનજીએ સત્તરમા શ્રી કુંથુન નાથ ભગવાનના સ્તવનમાં મનની વિવિધ ચેષ્ટાઓ બતાવી છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy