SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ | F | મુક્તિબીજ GF $ F $ E $ F $ F $ ૧ નિઃશંકિત : સદેવ, સદ્ગુરુ, સન્શાસ્ત્ર તેજ તત્ત્વભૂત છે, સત્યાર્થસ્વરૂપ છે, તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિઃશંક ગુણ છે. વળી, આત્માની _| આત્મસ્વરૂપ શ્રદ્ધા હોવાથી તે નીચેના સાત ભયથી રહિત હોય છે : (૧) આ લોકમાં આજીવિકાઓનો નાશ થવાના ભયરહિત. (૨) પરલોકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત. મરણ થવાથી મારો નાશ થશે તેવા ભયરહિત. રોગ થતાં વેદના ભોગવવી પડશે તેવા ભયરહિત. અરક્ષા-પોતાની અને પરિવારની રક્ષાના ભયરહિત. અગત-પોતાના ધનમાલ ચોરાઈ જવાના ભયરહિત. અકસ્માત-અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત. આવા સાત પ્રકારના ભયથી સમદ્રષ્ટિ આત્મા નિ:શંક નિશ્ચિત હોય છે. આત્મા પોતાનો આલોક છે, મોક્ષ પરલોક છે, આવો અંતરમાં નિશ્ચય થવાથી તે | આત્મા સંપૂર્ણપણે નિ:શંક બની જાય છે. આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તો જડ છે, અનિત્ય છે. રોગાદિ તે કા પુદ્ગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુનો અને રોગોનો ભય સતાવતો નથી. પરને પોતાનું માનતો નથી, પૂર્વના યોગે કર્મનો ઉદય થાય છે. અને - તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાનો કે ચોરીનો ભય સતાવતો G $ F $ E $ F $ $ Eા નથી. $ $ G $ - આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતો નથી, તેથી F| અકસ્માતના ભયે આત્માવિહવળ થતો નથી. ૨ નિકાંક્ષિત : સમદ્રષ્ટિ આત્મા ઇન્દ્રિયજનિત સુખોની આકાંક્ષાથી રહિત "| હોય છે. તેવાં સુખો પુણ્યયોગે પ્રાપ્ત હોવા છતાં અંતે તે દુઃખનું મૂળ છે. તે કઈ વાતનો તેનો નિર્ણય થયો હોવાથી સમષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ | થાય છે. ૩ નિર્વિચિકિત્સા : દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના દેહનો વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટ થવાની કોઈ અપેક્ષાએ સંભાવના હોવાથી તે પવિત્ર મનાય $ E $ | $ 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy