SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ S 가 가 | F_F_F_F_F__F 가 가 5 가 F 5 E S ન મુક્તિબીજ જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. | સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યગ્દર્શનની મુખ્યતા || ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જો કે સમજ્ઞાનથી જ સમ્યફદર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુ:ખના હેતુરૂપે હોવાથી સમ્યગ્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને કેમે કરીને સમ્યફરિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે. જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને કર્મ કરીને | Eા પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટ છે; અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમસ્વભાવને પામે છે એ સમ્યફદર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યફદર્શન કેમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યફ ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગધ્રુત અને તે શ્રુતત્ત્વપદૃષ્ટા મહાત્મા છે. વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થએલા અસંગ અને પરમકરણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. સમ્યકત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે : મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને ખા પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો | કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તો પણ કામ આવવાની નથી; મને ગ્રહણ !” કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર _! કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, અને ન બને તો .. * વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોશે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી | ખ| દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ ! | કરે તો પણ અર્ધપગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી | F S G 5 H 5 + 1 5 + 가S 4 S F 가요 5 5 ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy