SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 5 _F 가 BF 가 GF 가도 가 E F 가 F મુકિત બીજ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચોથા ભવમાં એનું મોક્ષમાં જવાનું બને છે. ચારે ગતિ સંબંધી આયુષ્યના બંધ થવા પર સમ્યકત્વ થઈ શકે છે, એથી કરીને બદ્ઘાયુષ્ય ૐ સમદ્રષ્ટિવાળા ચારે ગતિમાં જવા સંભવ છે. પરંતુ એ નિયમ છે કે સમ્યકત્વના કાળમાં જે મનુષ્ય અને તિર્યંચના આયુબંધ થતા હોય તો નિયમથી ૪ દેવાયુનો જ બંધ થાય છે અને નારકી તથા દેવના નિયમથી મનુષ્યનો જ બંધ થાય છે. સમગ્રદર્શનની ઉત્પત્તિનાં બાહ્ય કારણો. (નિમિત્ત). બે પ્રકારના કારણે થાય છે. એક ઉપાદાનકારણ અને બીજું નિમિત્તકારણ જે સ્વયં કાર્યરૂપ પરિણત થાય છે તે ઉપાદાનકારણ કહેવાય છે, અને જે કાર્યની સિદ્ધિમાં સહાયક થાય છે તે નિમિત્તકારણ કહેવાય છે. અંતરંગ અને બહિરંગના ભેદથી નિમિત્તના બે ભેદ છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના ઉપાદાન કારણ આસનભવ્યતા વગેરે વિશેષતાથી યુક્ત આત્મા છે. અંતરંગ નિમિત્તકારણ સમ્યકત્વની પ્રતિબંધક સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ છે અને બહિરંગ નિમિત્તકારણ સદ્ગર વગેરે છે. અંતરંગ નિમિત્તકારણના મવા પર સમગ્રદર્શન નિયમથી થાય છે પરંતુ બહિરંગ નિમિત્તના મળવા પર સમ્યગદર્શન થાય પણ છે અને નથી પણ થતું. સમગ્રદર્શનના બહિરંગ નિમિત્ત ચાર ગતિઓમાં જુદા જુદા પ્રકારનાં હોય છે. | જેમકે નરકગતિમાં ત્રીજા નરક સુધી જાતિસ્મરણ, ધર્મશ્રદ્ધા અને તીવ્રવેદનાનુભવ આ ત્રણ, ચોથાથી સાતમી સુધી જાતિસ્મરણ અને તીવ્રવેદનાનુભવ એ બે, તિર્યંચ અને મનુષ્યગતિમાં જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને જિનબિંબદર્શન એ ત્રણ દેવગતિમાં બારમા સ્વર્ગ સુધી જાતિસ્મરણ, ધર્મશ્રવણ, જિનકલ્યાણ દર્શન, અને | દેવરિધ્ધિદર્શન એ ચાર, તેરમાથી સોળમા સ્વર્ગ સુધી દેવરિધ્ધિ દર્શનને છોડીને | |ા ત્રણ અને એનાથી આગળ નવમા રૈવેયક સુધી જાતિસ્મરણ તથા ધર્મશ્રવણ એક બે બહિરંગ નિમિત્ત છે. રૈવેયકની ઉપર સમદ્રષ્ટિ જ ઉત્પન્ન થાય છે. એથી કરીને ત્યાં બહિરંગ નિમિત્તની આવશ્યકતા નથી. સમ્યગ્દર્શનના ભેદ. ઉત્પત્તિની અપેક્ષાએ સમગ્દર્શનના નિસર્ગજ અને અધિગમના ભેદથી બે કિ ભેદ છે. જે પૂર્વ સંસ્કારની પ્રબળતાથી પરોપદેશના વિના થઈ જાય છે તે નિસર્ગજ ૪ 가도 가도 G H 가도 가 E 가 F E 가 F 가 F F 가도 가도 - ૨૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy