SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ હકદાર ક બ5 5 % $ _F_F_F_F_F_F_F $ $ $ $ - મુક્તિબીજ એટલે હવે બે વાત નક્કી થઈ ગઈ કે દુર્ગતિએ ન જવું હોય તો પાપની | ક્રિયાઓને 'પાપ' બનવા દેવી ન જોઈએ; અને મોક્ષમાં જ જવું હોય તો 8િ ધર્મક્રિયાઓને ધર્મ બનાવીને જ જંપવું જોઈએ. આ બે ય કાર્યો સમક્તિ પ્રાપ્ત | કરવાથી એકીસાથે સિદ્ધ થઈ જાય છે. આથી જ કહ્યું છે કે સમકિતી જીવ નિયમથી દેવલોકે હાલ આ ભરત ક્ષેત્રથી મોક્ષ બંધ છે) જાય. એ દુર્ગતિએ જાય જ નહિ. પછી ભલે તેને કેટલીક પાપક્રિયાઓ સંસારમાં રહીને કરવી પડતી હોય તો પણ. જેની પાસે સમકિત નથી તે નિયમથી ભ્રષ્ટ છે, જેની પાસે સર્વવિરતિ | (સાધુવેષ) નથી તે આત્મા ભષ્ટ હોઈ શકે; અને ભ્રષ્ટ ન પણ હોઈ શકે. સાધુવેષ વિનાના ભરત, ગુણસાગર, પૃથ્વીચંદ્ર રાજા વિગેરેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, પરંતુ સમકિત વિનાના કોઈને ય કદાપિ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું જ નથી, આથી જ કહ્યું છે : दसणभट्टो दंसणभट्टस्स नत्थि निव्वाणं । सिसंति चअणअहिए। दंसणअहिआ न सिज्संति ।। અહીં કોઈ સવાલ કરશે કે, “જો આ રીતે સમકિતનું જ મહત્વ હોય તો સાધુવેષ લેવાની જરુર માં રહી?" એનો જવાબ એ છે કે સમકિત એ જો રત્ન છે તો સાધુવેષ એ તેને *| સાચવી રાખતો દાબડો છે. દાબડા વિનાનું રત્ન ખોવાઈ, ચોરાઈ, લુંટાઈ | ખા જવાની શક્યતા દરેક પળે રહે છે. ક્યારેક કેટલાક ધર્માત્માઓ - નંદિષણ, અષાઢાભૂતિ વગેરે . સર્વવિરતિ ગુમાવી દેતા હોય છે, પણ જો તે વખતે ય તેઓ હૈયે સમકિત બરોબર સાચવી રાખે તો ગુમાવેલી સર્વવિરતિને પાછી આવી જતાં વાર લાગતી નથી. સમકિતની બહુ મોટી વિશેષતા એ છે કે, જીવ અનંત ભ્રમણમાં જયારે F, પણ પહેલી વાર સમકિત પામે ત્યારે તેના અનંતા ભવોનું એક, એવા અનંતા | પુદગલ પરાવર્તનો સંસાર પાઈ જતો હોય છે. હવે તેનો સંસાર અર્ધપુદ્ગલ ! | પરાવર્તથી વધુ હોતો નથી. આટલો ય સંસાર સમકિતથી પડી જઈને મિથ્યાત્વે ર્કિ જઈને જે આત્મા ઘોર પાપો આચરી બેસે તેને થાય; બાકી તો સમકિત પામ્યા | પછી થોડાક ભાવોમાં જ મોક્ષ પામી જવાની પૂરી શક્યતા રહે છે. fi $ F $ $ $ $ 낚낡 $ $ $ ૧પ૪. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy