SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ છે પાછા ફરીશું ત્યારે લાડુ, પુડલા વગેરે સર્વ વસ્તુ ખાઈશુ. બંને જણા જંગલમાંથી નગરમાં આવ્યા. પછી રાજાએ રસોઈયાઓને બોલાવીને કહ્યું કે લોકની અંદર જેટલી વાનગી હોય તેટલી બધી રાંધો. રસોયાઓએ તે રાંધીને રાજા આગળ મૂકી. રાજા પણ ત્યાં આગળ નાટક જોનારાના દ્રષ્ટાંતની જેમ કરે છે. જેવી રીતે નાટક જોવા આવેલા કાર્પટીક વગેરે ગરીબ માણસો જે આગળ બેઠેલા હોય અને તેમને બળવાન પુરુષો માર મારીને પાછળ કરે તેમ રાજા | પણ બીજી તુચ્છ રસોઈ હઠાવે છે અને મીઠાઈની જગ્યા કરે છે. જગ્યા થવાથી વિવિધ પ્રકારની અનેક વાનગીઓ ખાધી. તે ખાવાથી શૂળ ઉત્પન્ન થયું અને મરણ પામ્યો, જયારે અમાત્ય તો ઊલટી અને જુલાબ કરીને સ્વસ્થ થયો અને સુખનો ભાગી થયો. તાત્પર્યાર્થ જેમ રાજા અનેક વાનગીને ખાવાથી મૃત્યુ પામ્યો તેમ આ જીવ અનેક દર્શનોની ઇચ્છા કરવાથી પોતાના સમકિત રત્નનો H નાશ કરે છે. વિચિકિત્સામાં વિદ્યાસાધક અને શ્રાવકનું દ્રષ્ટાંત : એક શ્રાવક નંદીશ્વર દ્વીપમાં ગયો, ત્યાં દેવના સંસર્ગથી દિવ્ય સુગંધવાળો થયો. જયારે પાછો આવ્યો | ત્યારે તેના મિત્રે દિવ્યગંધવાળો જોઈ તેને પૂછ્યું, ત્યારે તેને બધી હકીકત કહી અને વિદ્યાના પદોને સાધવાની વિધિ કહી કે સ્મશાનમાં ચાર પાયાવાળા TM છિક્કાની નીચે અંગારાથી ભરેલો ખાડો રાખવો. પછી ૧૦૮ વાર મંત્રજાપ કરી છિક્કાનો એક પાયો કાપવો, પછી પાછો ૧૦૮ વાર જાપ કરી બીજા પાકો કાપવો એ પ્રમાણે ૩જો અને ૪થો પાયો પણ કાપવો. ચોથો પાયો કપાય ત્યારે ક્યું તે છિકૂકુ આકાશમાં જાય. ત્યારે તે મિત્રે તે વિદ્યા ગ્રહણ કરી, અને કાળીચૌદશની રાતે સ્મશાનમાં સાધવા બેઠો. તે વખતે જેની પાછળ નગરના રક્ષકો પડેલા છે, એવો ચોર ત્યાં આગળ ફરતો ફરતો આવી ગયો. તે વખતે નગરરક્ષકોએ સવારે ચોર પકડીશું એમ વિચારી સ્મશાનને ઘેરીને રહ્યાં. તે ચોરે સ્મશાનમાં ફરતા ફરતા પેલા વિદ્યા સાધનારને જોયો. તેણે પૂછ્યું ત્યારે વિદ્યાસાધકે કહ્યું કે હું વિદ્યાસાધુ છું.' ચોરે પૂછ્યું કોણે આપી છે ? ત્યારે તેણે કહ્યું કે શ્રાવકે આપી છે. ચોરે કહ્યું કે આ દ્રવ્ય લઈને મને વિદ્યા આપ. ત્યારે ફ્ક્ત તે સાધક શંકા કરે છે કે આ વિદ્યા સિદ્ધ થશે કે નહીં.' એમ શંકા કરી તેને વિદ્યા આપી ચોરે વિચાર્યું કે શ્રાવક એક કીડીને મારવાના પાપને પણ ન ઇચ્છે, માટે આ વિદ્યા સાચી છે. એમ વિચારી તેણે વિદ્યા આપવા માંડી અને 卐 5 5 Jain Education International For Private & Personal Use Only ૧૩૬ *+5 946 946 ऊँ H *45 K K K 946 મ 946 5 He 946 946 www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy