SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ - ' + + F ees ::::: *,*,* $ $ $ – મુક્તિબીજ છે. આ શુદ્ધિ જ જીવન બોધિબીજની વાવણી કરે છે. શમ વગેરે ગુણોથી એ | બોધિબીજના અંકુરો ફટે છે. વળી નિઃશંકતા આદિ લક્ષણોથી તે અંકુરમાંથી છોડ 8િ _| ઉગે છે. અને અલ્પભવમાં તે જીવ તે છોડ ઉપરના મુક્તિના ફળને પ્રાપ્ત કરે છે. | * આવો મહિમા બોધિબીજ અર્થાત સમ્યગદર્શનનો છે. - સમત્વ પ્રાપ્ત થવાની પાત્રતાવાળા જીવને એ કાર્ય સિદ્ધ કરવાનો અત્યંત | ઉત્સાહ હોય છે, એથી એને સંસારના સુખો ગૌણ થઈ જાય છે. તે તરફથી તેની | દૃષ્ટિ ફરી જાય છે. તે દૃષ્ટિ અંતર્મુખી રહે છે, જો કે તેમાં વિશેષ સ્થિરતા ન રહે છે ખા છતાં એના લક્ષ્યપૂર્વક તે જીવાદિ તત્વોને જાણવા, સાંભળવા, ઉદ્યમ કરે છે, તેના | "| પર ચિંતન કરે છે, તેનો યથાર્થ અભ્યાસ કરે છે, અને સદ્ગુરૂ પાસે વિશેષ ચર્ચા વિચારણા કરે છે. આમ અંતર્મુખ થવા પ્રયત્ન કરે છે. આવી સાધના કરતા તેને જ્યાં સુધી સાચું તત્ત્વશ્રદ્ધાન પ્રતીતિમાં ન આવે કે | "| આજ મારું સ્વરૂપ છે. દેહાદિભાવ ઘટી આત્મભાવના પ્રબળ ન થાય ત્યાં સુધી ” - જંપીને બેસતો નથી. પોતાના હિતાહિતને બરાબર જાણે છે, તે ભાવને સ્થિર થવા | | નિરંતર ઉદ્યમ કરે છે. એ ઉઘમમાં બહારના વ્યવહારધર્મના અનુષ્ઠાનનું સેવન | કરતો, વિશેષ પ્રકારે અંતર્મુખતા પ્રત્યે ઝૂલો રહે છે. અંતરમૂખતા એ છે આત્મજ્ઞાન કે આત્મદર્શનનું મુખ્ય સાધન છે. અને આત્મજ્ઞાન તે સર્વ દુઃખને ! સોનિ નાશ કરે છે, તેની પ્રાપ્તિ પૂર્વે જીવને તે માર્ગમાં અત્યંત ઉલ્લાસ આવે છે. | શાશ્વત, સ્વાધીન અને સ્વસ્વરૂપ સુખ જે અનંત અને અવ્યાબાધ છે, તેની | અભિસા આત્માને આધ્યાત્મિક ઐશ્વર્ય પ્રત્યે પ્રેરે છે. અને તેવી ભાવના આત્માને ભૌતિક જગતના પ્રલોભનોથી દૂર થવાનું સામર્થ્ય આપે છે. બીજી બાજુ ભૌતિક સુખોની હરણફાળ ભરી રહેલા આ વૈજ્ઞાનિક ક્ષેત્રના સાધનો સંસારી જીવને મુંઝવી દે છે. તેના માટે પ્રગટ થતાં લોભામણા સાહિત્યોથી માનવજીવન તાત્તિવક અને શિષ્ટ સાહિત્યથી વિમુખ થતું જાય છે. | દાં તેને કારણે માનવસમાજની દશા છિન્નભિન્ન અને ભયથી ગ્રસિત થયેલી જોવા ! | મળે છે. આથી એવું જણાય છે કે આ કાળમાં આધ્યાત્મિક, તાત્વિક, સાત્વિક કે | || શિષ્ટ સાહિત્યની વિશેષ આવશ્યક્તા છે. ખા સર્વોત્કૃષ્ટ અમૃતવચનો - બોધ તો સર્વજ્ઞ પરમાત્માના છે. પરમાત્માએ પૂર્ણજ્ઞાન અને પૂર્ણદશા દ્વારા જગતનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું અને સ્વસ્વરૂપને !” H G $ F E F $ E $ $ $ ક ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy