SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈન ધર્મ : જગતના ધર્મોમાં જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. ભારતમાં ઉદ્દભવેલા આ ધર્મના અનુયાયીઓ ભારત ઉપરાંત આજે વિશ્વના અનેક દેશોમાં વસે છે. જૈન ધર્મ આગવું તત્ત્વચિંતન, સાહિત્ય, સ્થાપત્ય, નીતિશાસ્ત્ર, આચાર-પદ્ધતિ, વિચાર-પદ્ધતિ, ધર્મપ્રણાલી અને જીવનશૈલી ધરાવે છે. “જિન” શબ્દનો અર્થ રાગ, દ્વેષ અને મોહને જીતનાર એવો થાય છે, જેમણે એના પર વિજય મેળવ્યો તેઓ વિતરાગ કહેવાયા. આવા જિનના અનુયાયીઓ તે જૈન અને આ જિને નિરૂપેલો ધર્મ તે “જૈન ધર્મ.” જૈન ધર્મના વર્તમાન સમયના ૨૪ તીર્થકરોમાં ભગવાન ઋષભદેવ તે પ્રથમ તીર્થંકર છે અને ભગવાન મહાવીરસ્વામી તે ૨૪મા છેલ્લા તીર્થકર છે. જૈન ધર્મનો મુખ્ય મંત્ર નવકાર મહામંત્ર છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનમાં કર્મવાદ વિશે ગહન ચિંતન મળે છે તેમજ જૈન ધર્મના તીર્થકરોએ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. જૈન ધર્મમાં પાંચ યામ એટલે કે પાંચ મહાવ્રતોનો મહિમા છે અને તે પાંચ યામ છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસાને જ પરમ ધર્મ માનનારો આ ધર્મ વૈચારિક અહિંસા અને સહિષ્ણુતાને વધુ મહત્ત્વ આપે છે. બધાં દૃષ્ટિબિંદુઓમાં રહેલાં આંશિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy