SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ સ્ટીલની ફ્રેમ જયપુરમાં બનાવવામાં આવી. સ્ટીલ ફ્રેમમાં એકની ઉપર બીજું એવી રીતે આઠ પડ બનાવવામાં આવ્યા છે. પર્વતનો આકાર લાગે તે માટે ઢાળ બનાવવામાં આવ્યો, તેની રચના એ રીતે કરવામાં આવી કે સૌથી નીચેના ભાગની જાડાઈ ૫.૧” અને સૌથી ઉપરની જાડાઈ માત્ર ૦.૭૫' છે. સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર) : આ માટે ૩૦ ટન રફ ફટિકની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પર્વતનું કુલ વજન આશરે ૧૦ ટન જેટલું થયું છે. વિશ્વના જુદા જુદા રંગના રત્નો આયાત કરવામાં આવ્યા અને તેમાંથી જુદા જુદા માપની મૂર્તિઓ ઘડવામાં આવી. પ્રત્યેક મૂર્તિ એક જ રત્નમાંથી ઘડવામાં આવી. વળી આ દરેક રત્ન જૈમોલૉજિકલ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા, આથી રત્નમાંથી બનાવેલી આ મૂર્તિઓમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી છે. આ માટે વાપરવામાં આવેલા રત્નો સારી ગુણવત્તાવાળા હોય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. આ માટે એમરાલ્ડ, રૂબી, એમેથીસ્ટ, કુનઝાઇટ, રોઝ ક્વાર્ટ્સ, સોડાલાઇટ જેવાં કિમતી રત્નો વાપરવામાં આવ્યાં છે. અષ્ટાપદ પર્વતની રચના : પર્વત એ મુખ્ય અંગ છે અને તે સ્ફટિકનો બનાવવામાં આવ્યો છે. સ્ફટિકના ૧૦૦થી ૩૦૦ કિલોનું વજન ધરાવતા ટુકડાઓને ઢોળાવવાળો પર્વત દેખાય તેમ ગોઠવવામાં આવ્યા. એની નીચે મધ્યમાં આઠ પગથિયાં બનાવવામાં આવ્યાં, 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy