SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ પરિશિષ્ટ-૧ - અષ્ટાપદ સંબંધી કથાઓ ૧. શ્રી આદિનાથ અથવા ઋષભદેવ ભગવાન : ત્રીજા આરામાં ભરત ક્ષેત્રમાં નાભિકુલકરને ત્યાં મરૂદેવીની કુક્ષિમાં એક રાત્રિએ ભગવાન ઋષભદેવનો આત્મા સ્વર્ગમાંથી ચ્યવીને રાણી મરુ દેવીના ગર્ભમાં પ્રવેશ્યો. તે સમયે માતાએ ૧૪ સ્વપ્નો જોયાં અને ગર્ભકાળ પૂર્ણ થયા પછી ફાગણ વદ આઠમના દિવસે પુત્રરત્નને જન્મ આપ્યો. સૌધર્મ દેવલોકના અધિપતિ એવા સૌધર્મેન્દ્ર પાં ચરૂપ કરીને ભગવાનને મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં ચોસઠઇન્દ્રાદિએ જન્મ કલ્યાણકની ઉજવણી કરી. શ્રી નાભિકુલકરની આજ્ઞાથી પ્રથમ રાજા શ્રી ઋષભદેવ બન્યા. તેઓએ સારું રાજ્ય ચલાવ્યું અને લોકોને અસિ, મણિ, કૃષિ એટલે કે જુદી જુદી કલા, કારીગરી, ભાષા, વાણિજ્ય, ખેતી અને આત્મરક્ષણ શીખવ્યા અને સભ્યસમાજની સ્થાપના કરી. સમય પસાર થતાં તેમણે રાજ્યનો ત્યાગ કરતાં પૂર્વે એક વર્ષ સુધી દાન (વરસી દાન) આપ્યું. અને અંતે બે દિવસના ઉપવાસ કરી સર્વસંગનો ત્યાગ કરવા પૂર્વક કેશલોચન કર્યું અને મોક્ષ પામેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી સાધુ બન્યા, તે વખતે ત્રણ જ્ઞાનના સ્વામી પ્રભુજીને મનઃપર્વવજ્ઞાન નામનું ચોથું જ્ઞાન પ્રગટ્યું. જન્મકલ્યાણક વરસીતપનું પારણું ૨. ભગવાન શ્રી ઋષભદેવનું વરસીતપનુ પારણું : સાધુ તરીકે શ્રી ઋષભદેવ ભગવાન સળંગ ૧૩ માસ સુધી ઘેર ઘેર ગોચરી (આહાર) વહોરવા માટે ગયા, પરંતુ લોકો આ વિશે અજાણ હતા. તેમને આહાર આપવાને બદલે સોનું, ચાંદી અને કીમતી વસ્તુઓ આપવા લાગ્યા, જે તેઓ 35 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001978
Book TitleAshtapadji Mahatirth Ratnamandir
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy