SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ બીજી બાજુ કૈલાસ, માનસરોવર અને અષ્ટાપદ અંગેની ભૌગોલિક માહિતી અને પ્રવાસીઓના અનુભવો આમાંથી પ્રાપ્ત થશે. ભગવાન ઋષભદેવનું નિર્વાણ સ્થળ અષ્ટાપદ માનવસંસ્કૃતિ અને સભ્યતાના પ્રાચીનકાળની મહત્ત્વની કડી ગણાય. સૌથી પ્રાચીન મંદિર, સ્થાપત્ય અને સ્તૂપની એમાંથી ઝાંખી મળી શકે. આથી જૈન ધર્મની પ્રાચીનતા સંબંધી સાહિત્ય આમાંથી ઉપલબ્ધ થશે. અષ્ટાપદ તીર્થનું પ્રાચીન ગ્રંથોમાં મળતું વર્ણન અને એને લગતી કથાઓની પ્રમાણભૂત સામગ્રી આમાં લેવાઈ છે. અષ્ટાપદ તીર્થના રત્નમય મંદિરના સંદર્ભમાં રત્નોની સમજ, એના મોડેલ માટે કરવામાં આવેલા પ્રયાસોનું આલેખન મળશે. અષ્ટાપદ વિશે પ્રાચીન ગ્રંથોમાંથી મેળવેલા પ્રમાણભૂત આધારો અને ઉલ્લેખો સાથે અષ્ટાપદ તીર્થની સ્તુતિઓ, સ્તવનો અને પૂજાઓનો પણ આમાં સમાવેશ કર્યો છે. અષ્ટાપદની કથાઓ, પ્રવાસીઓનાં વર્ણનો અને વર્તમાન સમયે કરવામાં આવેલા સંશોધન-પ્રવાસીઓના અનુભવો આમાં સંગ્રહ્યાં છે. આમ અષ્ટાપદ વિશેની તમામ માહિતી ધરાવતા આ વૉલ્યુમની ડીવીડી પણ તૈયાર કરવામાં આવી છે અને એની સાથોસાથ સોળ વૉલ્યુમના વિષયો દર્શાવતી અનુક્રમણિકાની પુસ્તિકા પણ ઉપલબ્ધ છે. ૮. પ્રવાસી ટીમ - જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયૉર્ક) અત્યારે અષ્ટાપદના મૉડેલની રચના કરવામાં કાર્યરત છે. આ સેન્ટર અષ્ટાપદ મહાતીર્થ અને અષ્ટાપદના પર્વતનું સ્થાન નક્કી કરવામાં ઊંડો રસ ધરાવે છે. આ સંસ્થા દ્વારા ૨૦૦૬ જૂન અને ૨૦૦૭ જુલાઈના સમયમાં મધ્ય હિમાલયની મુલાકાત અને સંશોધન માટે બે વખત પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા : ૧. અત્યાર સુધી જે સંશોધન થયું છે, તેમાં ઉમેરો કરવો. ૨. જૈન સાહિત્યમાં વર્ણવાયેલા અષ્ટાપદના સ્થળને શોધવું. ૩. ભૌગોલિક તથા પુરાતત્ત્વની દૃષ્ટિએ અષ્ટાપદની ભાળ મેળવવી. Jain Education International For Private 83rsonal Use Only www.jainelibrary.org
SR No.001978
Book TitleAshtapadji Mahatirth Ratnamandir
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy