SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી રાજા ભરતે રત્નજડિત મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી `અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો. અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથા તીર્થંકરો વિશેની ચોક્કસ માહિતી આપે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના (ઉપદેશ) આપતા હતા, ત્યારે કુતૂહલવશ ચક્રવર્તી રાજા ભરતે પૂછ્યું કે આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર થશે ખરા ? ત્યારે ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે તમારો (ભરતનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે'. એ પછી આવનારી શ્રી ચોવીસીની સમજ આપી. આ રીતે ચક્રવર્તી રાજા ભરતને વર્તમાન શ્રી ચોવીસીની માહિતી જાણવા મળી હતી. I Jain Education International સમવસરણ ભરત ચક્રવર્તી નિર્વાણ કલ્યાણક For Private Personal Use Only www.jainelibrary.
SR No.001978
Book TitleAshtapadji Mahatirth Ratnamandir
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy