SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કર્મના ભારે પુનઃ પુનઃ જન્મ મરણ કરે છે. તેમણે કર્મનો ભાર જ ઉતારી નાખ્યો. એટલે જન્મમરણનો દોર કપાઈ ગયો. જોકે અનંત શરીરની ભીડમાં છતાં જીવ શરીરથી અને પોતાના અસ્તિત્વથી સ્વતંત્ર હતો. પરંતુ કર્મથી પરતંત્ર હોવાથી તેનું વાસ્તવિક એકાકી સ્વતંત્રપણું પ્રગટ થતું ન હતું. એ સ્વતંત્રતા સિદ્ધ અને સાધ્ય કરવા એ મહાત્માઓએ સંસારના નિમિત્તોને, પરિચયોને ગૌણ કર્યા. અને ચક્રવર્તી જેવા પદ ત્યજીને સંયમ માર્ગે વળ્યા. એ સંયમભાવની શુદ્ધિ અને વૃદ્ધિ કરનારા તત્ત્વોમાં/સાધનોમાં સામાયિકની મુખ્યતા રહી છે. શ્રાવકાદિ કે સાધુગણો સામાયિકના પરિણામ વડે અન્ય સાધનોની શુદ્ધિ કરે છે. સામાયિકના પરિણામનું ક ખૂબ વિત્તિર્ણ છે. જેનાથી સંસારભાવ, રાગાદિ ભાવ જીર્ણ અને શીર્ણ થાય છે. સામાયિક સાધન છે અને સાધ્ય છે. વિધિ તરીકે સાધન છે અને પરિણામપણે સાધ્ય છે. અનંતની ભીડમાંથી છૂટી એકાંતવાસ સમતાના પરિણામ વડે સેવ્ય બને છે. જીવમાત્ર સાથે મૈત્રી, કરુણા, વાત્સલ્ય, સમાનતા આવે ત્યારે એકાંતવાસ પણ સુખદ બને છે. પૂરા વિશ્વ સાથે પ્રસન્નતાના ભાવનું ઝરણું વહેતું રહે છે. રાગદ્વેષનો અભાવ થતાં સામાયિકના અભ્યાસ વડે જ્યારે સ્વાભાવિક ધર્મ પરિણમે છે, ત્યારે સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોથી આત્મ વાસિત બને છે. વળી સાવ પાપ વ્યાપારનો ત્યાગ થાય છે. અને નિરવદ્ય યોગોનો લાભ થાય છે, જેના વડે રત્નત્રય પુષ્ટ અને શુદ્ધ થતું જાય છે. એ ત્રણે ગુણો મોક્ષ ફળદાતા છે. રાગાદિ વિષમભાવોથી વિરમી સ્વરૂપમાં રમણતા કરવી તે સમતા છે. આ સમતા યોગીઓનો સામાયિક ધર્મ છે. શ્રાવક માટે વ્રત છે. સર્વાત્મમાં સમદષ્ટિ, સર્વ પ્રાણીઓમાં આત્મ સમાનભાવ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે એવો વિશ્વાસ એ સત્યનું દર્શન છે. યથાર્થ શ્રદ્ધાન છે, તાત્વિક સમતા છે. સામાયિકની યથાર્થ વિધિ છે. સ્વાર્થ જાનત દુર્ભાવ દૂર થઈ આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા જન્મે છે. આવું અચિંત્ય સામાર્થ છે જેનામાં છે તે આત્મા સમતાનો સ્વામી છે. તે સામાયિક ધર્મ છે. આવા તાત્ત્વિક સામાયિકની પરિણતિના કારણે માનવજન્મ દેવોને પણ દુર્લભ મનાયો છે. તે જન્મ વિષમતાને પનારે ન પડે તેવી સાવધાની રાખવાની છે. તે સામાયિક બે સામાયિકયોગ ૮ ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy