SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ મારા છે. અને અશુભમાં જ્યારે કંઈ સાથ ન મળે ત્યારે એમ ચિતવવું હું એકલો આવ્યો છું. એકલો જવાનો છું. મારાં કરેલાં કર્મ હું જ ભોગવવાનો છું. આમ દ્રિપાંખી વિચારણાથી સમતા ટકે છે. નહિ તો વ્યાકુળતા થશે કે સૌ સુખમાં જ સગાં છે. દુઃખમાં કોઈ ભાગ પડાવતું નથી. આખો સંસાર સૌના પુણ્ય-પાપને અનુસરે છે. વાસ્તવમાં જિનશાસનમાં જીવ એકાંતે એકલો કે પરાયો નથી. અન્યોન્ય સંયોગોને આધીન સંબંધ થાય છે. સ્વાર્થને કારણે પરને એકાંતે પરાયા માનવાથી માનવ માનવતા રહિત બને છે. સ્નેહ અને લાગણીના દુકાળમાં જીવતો હોય છે. પરિણામે એવા જીવનમાં ધર્મ સંસ્કારનું બીજ પડતું નથી. પરને સ્વતુલ્ય માનવાથી ધર્મ સંસ્કારનું બીજ પડે છે. સર્વ જીવે પ્રત્યે આત્મદષ્ટિ રાખ્યા વિના આત્મા કદી ચિત્તશાંતિ કે સમાધિભાવ પામી શકતો નથી. આવા સમાધિભાવ માટે વૈરાગ્ય, વિશ્વમૈત્રી અને સમ્યજ્ઞાનાદિની આવશ્યકતા છે. જ્યાં સુધી ચિત્તમાં રાગાદિભાવ છે ત્યાં સુધી જીવ સમતામાં આવી શકતો નથી. વૈરાગ્યભાવ સમતાનો પર્યાયવાચી શબ્દ છે. જે વિશ્વમાં તારી નિરંતર યાત્રા થઈ રહી છે, તે વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી તે માનવીનું કર્તવ્ય છે. આવી સર્વિચારણા સમ્યગૃજ્ઞાન વગર સંભવ નથી. મનુષ્યભવ ઉત્કૃષ્ટ છે તો ત્યાં કાર્ય પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ. અને તે કાર્ય એટલે રાગાદિને દૂર કરવાનો બળવાન પુરુષાર્થ જોઈએ. સાધકને નિરંતર સ્મૃતિ ટકવી જોઈએ કે રાગાદિ દૂર કરવા જેવા છે. તેના વડે મનમંદિર દૂષિત થાય છે. મલિન ગૃહ, વસ્ત્ર, પાત્ર આદિ આપણને નાપસંદ છે, તેથી તેનો સંગ્રહ કરતા નથી તેમ રાગાદિ મારું અહિત કરનારા છે તેનો સંગ્રહ ન કરાય. રાગાદિ ઘણા પુરાણા છે, કેવળ વિચાર કરવાથી તે જતા નથી. વીતરાગ પરમાત્માની પૂજા, પ્રાર્થના કે ભક્તિ વડે તેને નાથી શકાય તેવા છે. વીતરાગ પરમાત્માની સ્નેહ અને સ્મૃતિ જો તીવ્ર બને, બનાવીએ તો રાગાદિ દૂર થાય. રાગાદિ જ દુઃખના કારણ છે, તે દૂર કરવા જોઈએ તેવી સમ્યગૂ શ્રદ્ધા સમ્યગૂજ્ઞાનને પરિણમાવે છે. અને તે જ્ઞાન વીતરાગતા પ્રત્યે ઝૂકે છે. રાગાદિ દૂર કરવાનો આ જ ઉપાય છે. આત્મરુચિ કે આત્મનિષ્ઠાથી વીતરાગની ભક્તિમાં ટકી શકશે. સામાયિકલોગ - ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy