SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ * ક્રોધાદિ દોષોનું ઉપશમન કરવું. તેનાથી દૂર રહેવું. * વિષયોમાં મર્યાદા રાખવી, સંયમ ધારણ કરવો. * મનની - ચિત્તની સ્વસ્થતા રાખવી. * ૫રમાત્માનું સ્મરણ કરવું. * મહાપુરુષોના જીવનચરિત્રોનું ચિંતન કરવું. * પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરવી. આમ કરવાથી આપણા ચૈતન્યની નિર્મળ શક્તિનો પ્રવાહ આપણા કલ્યાણનું સર્જન કરે છે. તેનાથી વિપરીત વિચાર અશુભનું, અકલ્યાણનું નિર્માણ કરે છે. એટલે આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. આપણી શુભશક્તિને કોઈ બળજબરીથી અશુભમાં લઈ જતું નથી. આત્મકલ્યાણની ભાવનાવાળાએ શુદ્ધભાવ-વિચારોનું નિરંતર સેવન કરવું જોઈએ. આત્મપ્રદેશમાં જ રહેલી - હાલ સુષુપ્ત અવસ્થાવાળી એ શક્તિને પ્રવર્તમાન ક૨વી જોઈએ. આમ અશુદ્ધ વિચારને બદલે શુદ્ધ વિચારને પ્રવાહિત કરવો તે ચમત્કાર છે, અન્ય ચમત્કારથી સર્યું. માટે શુદ્ધ ભાવને જાગૃત કરી તેને ટકાવવા પ્રયત્ન કરવો. સામાન્ય જન બાહ્ય ચમત્કારમાં અનુષ્ઠાન માને છે, અને બાહ્ય ક્રિયા કે બાહ્ય ભાવમાં અટકે છે. કલ્યાણમંદિર સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર બંને આચાર્યશ્રી રચિત પરમાત્માની સ્તુતિ છે. પરંતુ ભક્તામરનું માહાત્મ્ય વિશેષ કેમ થયું ? સ્તુતિ સાથે વિશેષ ચમત્કાર છે. પણ જીવો જાણતા નથી, એ ચમત્કાર શું હતો ? ચિત્તની નિર્મળતાના આંદોલનના પ્રભાવથી બેડીની કડી તૂટી હતી. એટલે જ્યાં સુધી આપણા ચિત્તમાં નિર્મળતા ન આવે ત્યાં સુધી આ સ્તોત્રથી કર્મની બેડી કેવી રીતે તૂટે? ન મયણા શ્રીપાળનું દૃષ્ટાંત પણ ચમત્કાર માટે નથી. પરંતુ તે પવિત્રાત્માઓએ નિર્મળ ચિત્ત વડે જે આરાધના કરી તેમાં વચમાં આવતા પુણ્યયોગમાં વિશ્રામ કરી, પુનઃ સંયમને આરાધી મુક્તિ પામ્યા તેની વિશેષતા છે. કોઢ રોગ મટવો. નવરાજ્યાદિ મળવાં તે પૌદ્ગલિક પ્રવાહો હતા. પરંતુ નવપદની આરાધના વડે ચિત્તની નિર્મળતા, સમતા, જ્ઞાનની પરિપકવતા તથા તપની ફલશ્રુતિ હતી, જો એ આરાધનાના બળે મુક્તિ પ્રગટ થઈ ન હોત તો એ તપશ્ચર્યાનું મૂલ્ય અલ્પ છે. ૧૪૬ * Jain Education International For Private & Personal Use Only ભવાંતનો ઉપાય ઃ www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy