SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈતન્યશક્તિનો સક્રિય પ્રબળ પ્રવાહ જગતમાં જન્મેલા જીવોને મહદ્અંશે પોતાના ચૈતન્યના સુખ, ઐશ્વર્ય, કે લક્ષ્મી જેવી શક્તિઓ પ્રગટ કરનાર સર્વોચ્ચ તત્ત્વની ખબર નથી. પૂર્વકાળમાં ધન્નાજી, શાલિભદ્ર, જંબુકુમાર વગેરે સિકંદરની જેમ કે નેપોલિયનની જેમ યુદ્ધ નીકળ્યા ન હતા, વસ્તુપાળ તેજપાળ રાજ્યાદિ મેળવવા યુદ્ધ ચઢ્યા ન હતા, જગડુશા, કેશવજી જેવા શ્રાવકો સમરાંગણમાં ઊતર્યા ન હતા, અરે મહાવીર, ગૌતમ કોઈએ સરસેનાપતિ થઈને જીત મેળવી ન હતી. છતાં એ સૌ મહામાનવોના ચરણમાં રાજ્ય, લક્ષ્મી, કીર્તિ વિદ્યા આદિ સ્વયંમેવ ઉપસ્થિત હતા. એ પદાર્થો માટે એમણે ચિંતા સેવી નથી. છતાં તે સૌ તેમની સેવા કરતા. અને જેમણે સમરાંગણમાં યુદ્ધે ચઢી જીત મેળવી તેઓ કાળને આધિન થયા. એનો અર્થ એ જ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યની શક્તિ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ભૌતિક વસ્તુઓનો સ્વેચ્છાએ ત્યાગ થાય છે. અને સ્વ-શક્તિ દ્વારા જીવ પૂર્ણ સુખ પામે છે, જેને શાશ્વતકાળ ટકાવવા કોઈ પ્રયત્ન વિશેષ કરવો પડતો નથી. ચૈતન્ય પ્રત્યેની અભિમુખતા એ દિશાનો માર્ગ આપે છે. તેથી મહામહર્ષિઓએ સમૂહના અનુષ્ઠાનો બતાવ્યા જેથી અભિમુખતા કેળવાય. કારણ કે સામાન્યતઃ જીવ માત્રમાં એ શક્તિનું બળ વૃદ્ધિ પામતું નથી. જેમ વર્ષાઋતુમાં નાના મોટા જળના પ્રવાહો મોટી સરિતામાં પરિવર્તિત થાય છે ત્યારે તેનું જોર વૃદ્ધિ પામે છે. તેમાં વિવિધ પ્રકારના સાધકોનું એક જ અનુષ્ઠાન કે સંકલ્પનું બળ શુભ વાયુમંડળ રચવામાં સમર્થ બને છે. જે વડે અલ્પ શક્તિવાળો સાધક પણ પોતાના સંકલ્પમાં દઢ રહે છે. જેમ સુતરના અલગ અલગ દોરાથી એક ખિસકોલી જેવા પ્રાણીને બાંધી શકતું નથી, પણ એ જ સૂતરનું દોરડું બને છે ત્યારે મહાકાય હાથીને પણ બાંધી શકે છે. તેમ આપણી ચૈતન્ય શક્તિ ભૌતિક કાર્યોમાં વેરવિખેર થઈ જાય છે. તે શક્તિને સમૂહના અનુષ્ઠાનમાં જોડવામાં આવે તો તેનું બળ વધી જવાથી આંતરિક મળનું શોધન થાય છે, ત્યારે ચૈતન્યમાં નિર્દોષ સુખ પ્રગટ થાય છે, તેની સાથે બહારના ૧૪ - ભવાંતનો ઉપાય: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy