SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વડે જે કંઈ વિરાધના થાય તેનાથી નિવર્તવું, અર્થાત્ સાવદ્ય - પાપજનિત પ્રવૃત્તિનો ત્યાગ અત્યંત જરૂરી છે. અને નિરવદ્ય યોગોનું સેવન કરવાનું છે. સામાયિકને ‘અનવદ્ય'ની ઉપમા આપી છે. સમસ્ત પાપવ્યાપારના ત્યાગને સંપૂર્ણ સામાયિક કહ્યું છે. તે કથંચિત તેરમે ગુણસ્થાને સંભવે છે. ચૌદમે ગુણસ્થાનકે સંપૂર્ણ હોય છે. યોગોની શુભાશુભતા : મન વચન કાયાના યોગો પૌગલિક છે. વાસ્તવમાં મનાદિ યોગો આત્માને દેહના સંયોગે મળેલા પ્રાણ છે. યોગો એટલે આત્માની વીર્ય-શક્તિનું ફુરણ છે. આ ફુરણ મન વચન કાયા ત્રણેમાં થાય છે, ત્યારે તે યોગ કહેવામાં આવે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે દ્રવ્ય યોગ છે. તે સમયે આત્મવીર્યનું ફુરણ તે ભાવયોગ છે. સમ્યગુભાવ શુભભાવયોગ હોય છે. અને મિથ્યાત્વાદિ ભાવોને અશુભ ભાવયોગ કહેવાય છે, જે સાવદ્ય છે. આ યોગો નિરંતર સક્રિય હોય છે. મનને અશુભ કે સાવદ્ય પાપવ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાચન વગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય, ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યર્થ અને દ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઊંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેનાં દર્શન કરો. પર્યાયના પરિવર્તનથી બોધ પામો. પરમાણુના પુંજ એવા આ દે માં અનેક પરમાણુઓનો ભેદ સંઘાત, વિખરાવું- મળવું થાય છે. યુવાનની પર્યા બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. ઘા લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ. આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો. પર્યાય પણ ઉપકારી છે. અજ્ઞાની મટી જ્ઞાનીપણે અવસ્થા બદલાય છે. મિથ્યાત્વ મટી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તમે પર્યાયને પરવશ છો તેને આત્મા પ્રત્યે લાવો. તેમાં સ્વાધીનતાનો મહિમા છે. મનોયોગની શુભાશુભ પ્રવૃત્તિ: મનનું સ્થાન દેહવ્યાપી છે. મન પુદ્ગલના સ્કંધોની રચના છે. જીવવીર્યની ફુરણા વડે મનોવÍણા ગ્રહણ થઈ મનરૂપે સામાયિોગ * ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy