SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના હિતનું સહાયક સાધન બને છે. આ પંચપરમેષ્ઠિમાં પાંચ ભેદ એ આત્માની વિશિષ્ટ અવસ્થાઓ છે, છતાં દરેક પોતાને સ્થાને અત્યંત ઉપકારક છે. દરેક પદની સાધનામાં એ વિશિષ્ટતા પ્રગટ થાય છે. શરીરમાં રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ પોતપોતાને સ્થાને બળવાળાં છે. કોઈની ઉપેક્ષા કરીએ તો રોગના ભોગ થવું પડે. તેમ આ પંચપરમેષ્ઠિપદમાં કોઈની ઉપેક્ષા અનંત સંસારનું કારણ બને છે. તે પદો આત્માની સાધનાના, આધ્યાત્મિક વિકાસના આધાર સ્તંભ છે. નમો અરિહંતાણં : અંતરંગ શત્રુઓને જેમણે નષ્ટ કર્યા છે, ચાર ઘાતિકનો મૂળમાંથી ઉચ્છેદ કરી સ્વ-પર પૂર્ણ પ્રકાશક કેવળજ્ઞાનને પામ્યા છે. અનંત ચતુષ્ટયધારી અરિહંત પરમાત્માને અશક્ત અને અબુધ જનો પણ પૂજીને તરી ગયા છે, તરશે અને તરી રહ્યા છે. વિશ્વ વાત્સલ્યના ભાવનું પ્રબળ પ્રદાન કરનાર અરિહંત પરમાત્મા છે. તીર્થને પ્રવર્તાવનારા, જગતના ઉધ્ધારક પરમાત્મા સમસ્ત વિશ્વને પૂજનીય છે. અરહિંતપદના પ્રગટ થવાથી આત્માએ જાણ્યું કે ઓહો! હું તો આવો સામર્થ્યવાન આત્મા છું. અરિહંતની દેશનાની સિંહગર્જના સાંભળી, તારો આત્મા પણ ગાજી ઊઠ્યો, ‘સોહં'. અને કષાયાદિ દોષોનું, અહંનું મૂળ છેદાઈ ગયું, આત્મવિશુદ્ધિનો માર્ગ મળ્યો. એવા ઉપકારક તત્ત્વનું આરાધન આત્માને અરિહંત સ્વરૂપે પ્રગટ કરે છે. અરિહંત ભગવંતે આત્મા ઓળખાવ્યો કે તું તો સિદ્ધ સ્વરૂપ છું. અરિહંત પરમાત્માને અંતરંગ મલિનતાનો આત્યંતિક વિયોગ થવાથી તેઓનો દેહ પણ પવિત્રતા પામે છે. તેથી તેમનાં અંગો પણ મળ રહિત મનાય છે. ચરણકમળ જેને સ્પર્શીને જીવો ભવનો અંત કરવા સમર્થ બને છે. કારણ કે તેમના ચરણથી કોઈ પીડા પામ્યું નથી. કરકમળ જે હંમેશાં શુભાશિષ રૂપે જ ઊંચો રહે છે. જે કરકમળ વડે ગૌતમસ્વામી સહિત હજારો જીવો સંસાર ત્યાગી ભવ તરી ગયા છે. નયનકમળ જેમાં કેવળ અમી અને કરુણા વર્ષે છે. એ અમી દૃષ્ટિ વડે જીવો અમૃત પામી ગયા. નમોસિદ્ધાણં : સિદ્ધ પરમાત્મા એટલે અનંત આવ્યાબાધ પરમ સુખના સ્વામી. દેહાતીત દશાના દ્યોતક અશરીરીપણાનું કલ્પનાતીત સર્વોચ્ચ પદ સામાયિયોગ * ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy