SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાત્રને યોગ ઉપયોગનું જોડલું મળે છે. સંસારીને કેવળજ્ઞાન સુધી મનાદિ યોગ છે. ત્યાં કષાય રહિત ઉપયોગ છે. એટલે યોગ ક્રિયાં આશ્રયી આશ્રવ છે, બંધ નથી. સંસારી જીવના યોગ સક્રિય છે. શુભાશુભ તેની વર્તના છે. એટલે સામાયિક જેવા અનુષ્ઠાનમાં સાવદ્યયોગથી નિવૃત્તિ એ વ્યવહારધર્મ આપ્યો. અને નિરવદ્યયોગમાં નિશ્ચય ધર્મ આપ્યો, કે જ્યાં શુદ્ધઉપયોગનું લક્ષ્ય છે. નિશ્ચયનયનું લક્ષ્ય કરવા, બોધ પામવા પણ વ્યવહાર ધર્મનો સહયોગ હોય છે. જ્ઞાન – ધ્યાનની આરાધના સ્વાધ્યાદિના મૂળમાં તો ક્રિયા જ છે. પછી ધ્યાનાદિ અવસ્થા આવે છે. યોગ નિરોધ ચૌદમા ગુણ સ્થાનકે હોવાથી પરમાર્થ ક્રિયાનું અવલંબન તે તે ભૂમિકા અનુસાર હોય છે. નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.' મ. મ. યશો. “આ નિશ્ચયદૃષ્ટિ મુમુક્ષુની પરાશ્રયી વૃત્તિનું એક બાજુ મૂલ્યોચ્છેદન કરે છે. ત્યારે બીજી બાજુ વ્યવહારસૃષ્ટિ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિ બનાવે છે.” જો બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે તો શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે તે અશુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વત્ર વ્યાપ્ત વિષમતામૂલક વિષ પ્રવાહનું અમોઘ ઔષધ છે.’’ દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધા૨ણ કરીને પોતાના સ્વત્વને, વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર છે. વ્યવહા૨ નયને ન સ્વીકારવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે, તે માટેનું બીજ છે પરસ્પરોપગ્રહો જીવાનામ' છે. નિશ્ચયનય ન સ્વીકારવાથી તત્ત્વનો લોપ થાય છે. તેનું બીજ છે. “ઉપયોગો લક્ષણ'' વ્યવહારને છોડવાથી તીર્થ જાય છે. નિશ્ચયને છોડવાથી તત્ત્વ જાય છે. વ્યવહા૨ તે માર્ગ, નિશ્ચય તે લક્ષ.” 900 * Jain Education International ગ્રંથ-આત્મોત્થાનનો પાયો પૂ. પંન્યાસજી ભવાંતનો ઉપાય ઃ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy