SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાશ્રીની ચિરવિદાય ૪૭૧ રહેતા. પોતાના દીકરાઓ કે દીકરાના દીકરાઓ શો વ્યવસાય કરે છે અને કેટલું કમાય છે એ વિશે તેમણે ક્યારેય કોઈને પ્રશ્ન કર્યો નથી. કોઈની પાસે કશું માંગ્યું નથી. પોતે જ જો ધનસંપત્તિમાં રસ નથી ધરાવ્યો તો પુત્ર-પરિવારનાં ધનસંપત્તિમાં ક્યાંથી રસ હોય? બાપુજીનું જીવન એક સાધુમહારાજ જેવું જીવન હતું. શાળામાં અને પાઠશાળામાં એમના એક સહાધ્યાયી તે ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિજી હતા અને પાઠશાળામાં એમના શિક્ષક શ્રી ઊજમશી માસ્તર જેઓ પછીથી પૂ.નીતિસૂરિ પાસે દીક્ષિત થઈ આગળ જતાં પૂ. ઉદયસૂરિ બન્યા હતા. આ બંનેના સંસ્કાર બાપુજીના જીવન પર પડ્યા હતા. બાપુજીના અક્ષર સ્વચ્છ અને મરોડદાર હતા. એટલે એમના પિતાશ્રીનો અનાજ અને રૂ-કપાસનો વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે નામું લખવાનું, રોજેરોજ ટપાલ લખવાનું કામ બાપુજીને સોંપાતું. પોતાની યુવાનીના આરંભમાં પંદરેક વર્ષ એમણે નિયમિત ટપાલો લખી હતી. તેઓ કહેતા કે ઘણુંખરું પોસ્ટકાર્ડ લખવાનો જ રિવાજ હતો અને એક પૈસાની ટિકિટવાળું પોસ્ટકાર્ડ ઠેઠ પેશાવર, રંગૂન કે કોલંબો સુધી જતું. ત્યારે બ્રિટિશ હકૂમત હતી અને બર્મા અને શ્રીલંકા. ભારતના એક ભાગરૂપ હતા. રોજેરોજ ટપાલ લખવાને કારણે સેંકડો આડતિયાઓનાં નામ-સરનામાં એમને મોઢે હતાં અને મોટા ભાગના આડતિયાઓને ત્યાં પોતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જઈ આવેલાં. એટલે જીવનના અંત સુધી કોઈ પણ ગામનું નામ આવે એટલે ત્યાંના આડતિયાઓનાં અને મોટા વેપારીઓનાં નામ તેઓ તરત યાદ કરી આપે. વળી ગામે ગામ રેલવે દ્વારા અનાજ મોકલાતું હોય અને આવતું હોય. એટલે પાદરાના રેલવે સ્ટેશને રોજનો એક આંટો હોય જ. રેલવેમાં દરેક સ્ટેશનનાં ત્રણ અક્ષરનાં મિતાક્ષરી નામ હોય. પારસલમાં એ લખવાં પડતાં. એ માટે રેલવેની છાપેલી ગાઈડ આવે છે. બાપુજીએ એવી ગાઈડ પણ વેપારાર્થે વસાવેલી. અનેક સ્ટેશનોનાં મિતાક્ષરી નામ પણ એમને આવડે. BCT એટલે બૉમ્બે સેન્ટ્રલ અને AMD એટલે અમદાવાદ. કોઈ પણ તાર કયા ગામેથી આવ્યો છે એ એમાં આપેલા મિતાક્ષરી નામ પરથી તેઓ તરત કહી આપતા. એમના વખતમાં ટપાલ ખાતાના તાર રેલવે સ્ટેશન દ્વારા થતા. ડોટ અને ડેશની-કડ-કટ્ટની સાંકેતિક તારભાષા પોતે શીખેલા અને તાર કરનારની પાસે પોતે ઊભા હોય તો ડોટ-ડેશના અવાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy