SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ વંદનીય હૃદયસ્પર્શ મિત્રશ્રી વસંતભાઈભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડથોડી વાતચીત કરી શકેલા.. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક-બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ પાંચ-સાત દિવસમાં જફરી એમનું શરીર સશક્ત બનવા લાગ્યું. દિવસે આડા પડવાનું બંધ થયું. સ્મૃતિ પહેલાંના જેવી જ તાજી થઈ ગઈ. મોટી ઉંમરે ગયેલી સ્મૃતિ પાછી નથી આવતી. પણ બાપુજીના જીવનમાં એ અદ્ભુત ચમત્કાર હતો કે સ્મૃતિ બરાબર પહેલાંના જેવી જ થઈ ગઈ. દસ કડીનું સ્તવન કે મોટું સ્તોત્ર બરાબર પાછું તેઓ બોલવા લાગ્યા હતા. એમનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું હતું. આટલી મોટી ઉંમરે આમ થવું એ પણ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી. આગલા વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ચિખોદરાની હૉસ્પિટલના આંખના દાક્તર ડૉ. રમણીકલાલ દોશી (દોશીકાકા) અમારે ઘરે આવ્યા હતા. તે વખતે બાપુજીની વાત નીકળી. દોશીકાકા કહે કે ‘હું આજે ચિખોદરા પાછો જાઉં છું. માટે અત્યારે જ મારે એમનાં દર્શન કરવાં છે.’ તરત અમે ભાઈના ઘરે ગયા. દોશીકાકા બાપુજીને મળ્યા. દોશીકાકા પોતે ૮૪ વર્ષના. ૧૦૧ વર્ષ જીવેલા પૂ. રવિશંકર દાદાની વાત નીકળી. બાપુજીએ ૬૦-૭૦ વર્ષ પહેલાંના રવિશંકર દાદાનાં સ્મરણો કહ્યાં. બહારવટિયા બાબર દેવાની વાત નીકળી. પાદરા, ધર્મજ, વટાદરા, સોજિત્રા, બોરસદ, ભાદરણ, ખંભાત વગેરે ગામોના એ જમાનાના આગેવાનોને મળેલા એ બધી વાતો સાંભળીને દોશીકાકાનાં સંસ્મરણો પણ તાજાં થયેલાં. ૧૯૭૫માં મારી માતા રેવાબાનું અવસાન થયું તે પછી બાપુજી મુંબઈ છોડીને ખાસ ક્યાંય ગયા નહોતા. ચોવીસ કલાક ઘ૨માં જ હોય. દિવસ કેમ પસાર કરવો એની એમને ચિંતા નહોતી. ટી.વી. જોતા નહોતા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો પડતો. રોજસવારનાસાડાપાંચછ વાગે તેઓ ઊઠી જાય. ઊઠતાંની સાથે પથારીમાં જ પલાંઠી વાળીને બેસીને તેઓ બરાબર એક કલાક સુધી બુલંદ સ્વરે સ્તુતિ કરે. રોજ આત્મરક્ષા મંત્ર, ગૌતમસ્વામીનો છંદ, સોળ સતીનો છંદ, નવકારમંત્રનો છંદ, પુણ્યપ્રકાશનું સ્તવન, રત્નાકર પચીસી (સંસ્કૃતમાં), જિનપંજર સ્તોત્ર તથા ત્રણ સ્તવનો – ઋષભ જિનરાજ (યશોવિજયજીકૃત), પાસ શંખેશ્વરા (ઉદયરત્નકૃત) અને ‘તા૨ હોતારપ્રભુ’ (દેવચંદ્રજી કૃત) –આટલું બોલ્યા પછી રોજઋષભદેવથી મહાવી૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy