SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૪૩૯ જમ્યા પછી અમે કાકાને કારણ પૂછ્યું તો એમણે કહ્યું, ‘મોટાં શહેરોમાં બધે કેરી ચાલુ થઈ ગઈ છે, પણ અમારાં ગામડાંઓમાં ગરીબ લોકોને ત્યાં હજુ ચાલુ નથી થઈ. કેરી થોડા દિવસમાં સસ્તી થશે અને એમને ત્યાં ચાલુ થશે, પછી હું કેરી ખાઈશ.' કાકાની ગરીબો માટે કેટલી બધી સહાનુભૂતિ છે એનો ત્યારે ખ્યાલ આવ્યો. ગાંધીજીની જેમ વ્યવહારમાં કરકસર કરવી એ દોશીકાકાનું પણ જીવનનું મુખ્ય લક્ષ. દરેક વિષયમાં કરકસરપૂર્વક વિચાર કરે. બે જોડ ખાદીનાં કપડાં આખું વર્ષ ચલાવે. ફાટે તો સાંધી લે. સાંધેલું કપડું પહેરવામાં શરમ નહિ. દોશીકાકા પાસે એક ગરમ કોટ છે. છેલ્લાં બાવીસ વર્ષથી અમે જોતા આવ્યા છીએ કે કાકાએ શિયાળામાં બહારગામ જવું હોય તો આ એક જ કોટ પહેર્યો હોય. કાકા કરકસર કરે, પણ મનથી દરદ્રતા નહિ. જરૂર પડે, અનિવાર્ય હોય તો ગમે તેટલું મોટું ખર્ચ કરતાં અચકાય નહિ. દોશીકાકા વૈશાખ મહિનામાં ઑફિસમાં બપોરે એક દિવસ કામ કરતા હતા અને ભયંકર ગરમી પડતી હતી. એ વખતે એક શ્રીમંત ભાઈ પોતાની એ.સી. કારમાંથી ઊતરીને કાકાને મળવા આવ્યા. એમનાથી ગરમી સહન થતી નહોતી. એમણે કહ્યું, ‘કાકા, આવી ગરમીમાં તમે કેવી રીતે કામ કરી શકો છો ?' કાકાએ કહ્યું, ‘હું ગરમીથી ટેવાઈ ગયો છું.' પેલા શ્રીમંતે કહ્યું, ‘કાકા, ઑફિસમાં મારા ખર્ચે એ.સી. નંખાવી આપું છું, એના વીજળીના બિલની જવાબદારી પણ મારી.’ કાકાએ કહ્યું, ‘ભાઈ, તમારી દરખાસ્ત માટે આભાર. પણ એ.સી.વાળી ઑફિસ મને ન શોભે.’ નેત્રયજ્ઞની સભાઓમાં કાકા ઘણી વાર કહેતા કે આવા યજ્ઞનું આયોજન ત્રણ નારાયણ એકત્ર થાય ત્યારે થાય. દર્દીઓ તે દરિદ્રનારાયણ, દાક્તરો અને બીજા કાર્યકર્તાઓ એ સેવાનારાયણ અને યજ્ઞ માટે દાન આપનાર, તે લક્ષ્મીનારાયણ. કાકાના વક્તવ્યમાં આ ત્રણ નારાયણ તો હોય જ, પણ કોઈ વાર પ્રસંગાનુસાર કાકા બીજા એકબે ના૨ાયણ જોડી દેતા. કોઈ વાર લક્ષ્મીની વાત નીકળે તો કહેતા કે લક્ષ્મી ત્રણ પ્રકારની છે, શુભ લક્ષ્મી, અશુભ લક્ષ્મી અને મહાલક્ષ્મી. પાપ કરીને, છેતરપિંડી કરીને જે ધન કમાય તે અશુભ લક્ષ્મી. પ્રમાણિકપણે જે કમાણી થાય તે શુભ લક્ષ્મી. અને લોકસેવાનાં કાર્યો જે કરે તેની લક્ષ્મી તે મહાલક્ષ્મી. અશુભ અને શુભ લક્ષ્મી અવશ્ય નાશ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy