SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ વંદનીય હૃદયસ્પર્શ લઘુતા અને નિખાલસતા એ ઉષાબહેનનાં વ્યક્તિત્વનાં લક્ષણો થોડા પરિચય પણ માણસને જણાયા વગર રહે નહિ. તેઓ હંમેશાં ખાદીની સફેદ સાડી જ પહેરતાં રહ્યાં છે. ઉષાબહેનને બસમાં જતાં, ટેક્ષીમાં જતાં, ક્યાંક પગે ચાલીને પહોંચી જતાં કોઈ સંકોચ નહિ. કોઈ કાર્યક્રમ માટે નિમંત્રણ મળ્યું હોય તો પોતાને તેડી જવા માટેનો આગ્રહનહિ. પોતાની મેળે પણ પહોંચી જાય. સભામાં મંચ પર સ્થાન મેળવવા કે આગલી હરોળમાં બેસવા માટે આગ્રહ નહિ, તેવી વૃત્તિ પણ નહિ. પાછળ બેસવામાં કોઈ ક્ષોભ નહિ. બધું સરળ અને સહજ. એ માટે માઠું લાગે નહિ, તો પછી કોઈ વ્યવસ્થાપકને પકો આપવાનો કે કટાક્ષ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય? આ બધા ગુણો ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલી વ્યક્તિના જીવનમાં સ્વાભાવિક રીતે વિકસેલા હોય જ. શાસ્ત્રીય સંગીત ઉષાબહેનની એક શોખની પ્રવૃત્તિ રહી છે. તેઓ રાગરાગિણીનાં જાણકાર છે અને હવે જોકે મહાવરો ઘણો ઓછો થઈ ગયો છે તો પણ સિતારવાદન એ એમની એક પ્રિય પ્રવૃત્તિ રહી છે. ઉષાબહેને ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું છે. એમણે પોતાના અધ્યયનઅધ્યાપનના વિષયોને લક્ષમાં રાખી “લોકશાહી શા માટે?”, “પક્ષો શા માટે?”, “ભારતના રાજકીય પક્ષો”, “રાષ્ટ્રપતિની કામગીરી” વગેરે વિશે પરિચય-પુસ્તિકાઓ લખી છે. આ ઉપરાંત એમણે “ગવર્મેન્ટ એન્ડ ધ ગવન્ડ', કોંગ્રેસ રૂલ ઇન બૉમ્બે' “કૌટિલ્ય અને તેનું અર્થશાસ્ત્ર', “અમર શહીદો', ગાંધીજી’, ‘વિશ્વની મહાન વિભૂતિઓ' જેવાં પુસ્તકો પણ લખ્યાં છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનાં છે. ઉષાબહેનની અનેકવિધ સંનિષ્ઠ, સભર સેવાભાવી પ્રવૃત્તિઓ અને એમનું સમગ્ર જીવનકાર્ય અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે. આવી વ્યક્તિઓથી સમાજ ઉજ્જવળ રહે છે અને આપણે ધન્યતા અનુભવી શકીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy