SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાબહેન પાઠક ૩૧૧ ઊભાં તેઓ “પરલોકે પત્ર’નાં કાવ્યોની પંક્તિઓની રચના કરતાં. સવારનું શાંત, મધુર, શીતલ વાતાવરણ એમને માટે ઘણું પ્રેરક બનતું. હીરાબહેનનું પાઠકસાહેબ સાથેનું દામ્પત્યજીવન પ્રેમ અને બહુમાનપૂર્વકનું હતું. તેઓ પાઠકસાહેબમય બની ગયાં હતાં. પાઠકસાહેબના અવસાન પછી પણ તેઓ તેમને સતત યાદ કરતાં રહેતાં. હીરાબહેનને ઘરે ગયા હોઈએ અને કંઈ વાત નીકળે તો તેઓ “એ કહેતા કે...' એમ કહીને કેટલીય જૂની વાતોનું સ્મરણ તાજું કરતાં. હીરાબહેને પાઠકસાહેબના અવસાન પછી તરત જ એક દઢ સંકલ્પ એવો કર્યો હતો કે પાઠકસાહેબના નામની જે કંઈ રકમ છે તે તથા પાઠકસાહેબને એમના ગ્રંથોમાંથી જે કંઈ રૉયલ્ટી મળે તે રકમમાંથી પોતાની અંગત જરૂરિયાત માટે કશું જ લેવું નહિ. પોતાનું ગુજરાન નોકરીના પગારમાંથી ચાલી રહે એમ હતું. એટલે પાઠકસાહેબની બધી રકમ સાહિત્યનાં કાર્યો માટે વાપરવાનો નિર્ણય કર્યો. હીરાબહેનનો આ નિર્ણય ઘણો જ ઉદાર અને ઉદાત્ત હતો. પોતે કરકસરથી રહેતાં, પણ પાઠકસાહેબની રકમ પોતાના માટે વાપરતાં નહિ. પાઠકસાહેબની રકમમાંથી તેઓ ખાનગીમાં કેટલાક સાહિત્યકારને આર્થિક સહાય કરતાં. કેટલાકને ગ્રંથપ્રકાશન માટે મદદ કરતાં અને છતાં એ બધી વાતોની કશી પ્રસિદ્ધિ ન થાય તેની ખેવના રાખતાં. ગુજરાતી સાહિત્ય પરિષદને પણ આ રીતે એમણે પાઠકસાહેબના નામની જમા થયેલી રકમમાંથી માતબર રકમનું દાન આપ્યું હતું. . પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને સાહિત્યના ક્ષેત્રે કવિતા, વિવેચનલેખો, સંશોધન, ઇત્યાદિ પ્રકારની લેખનપ્રવૃત્તિ ઠીક ઠીક કરી લીધી હતી. તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે પ્રાપ્ત કર્યા હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનાં વિભાગીય પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઈ હતી અને પરિષદના ઉપ-પ્રમુખ તરીકે પણ તેમણે કેટલાંક વર્ષ માટે સારી સેવા આપી હતી. એ દિવસોમાં હીરાબહેન સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતાં. ઉપ-પ્રમુખ અને વિભાગીય પ્રમુખનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી હીરાબહેનને એવી આશા હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમિયાન કોઈ મહિલા સાહિત્યકારને સાહિત્ય પરિષદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy