SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વંદનીય હૃદયસ્પર્શ કૃપાળુદેવના વચનામૃતમાંથી કેટલાક પત્રો વંચાવ્યા. કાયાવરોહણ તીર્થના સ્વામી કૃપાલુઆનંદની અથવા કેટલાક કબીરપંથી તથા અન્ય પંથના સાધકોની જે સાધનાપદ્ધતિ છે, લગભગ તેવા જ પ્રકારની, ગુરુગમ દ્વારા બીજજ્ઞાનની સાધનાપદ્ધતિ અહીં આશ્રમમાં સ્વીકારેલી છે. શ્રી સુધાબહેન વિનુભાઈની પ્રેરણાથી આ પ્રકારની સાધના બાપુજીના માર્ગદર્શન હેઠળ કરવાનું મેં સ્વીકાર્યું અને એમાં યથાશક્તિ પ્રગતિ કરી શક્યો છું. પંદર દિવસ આશ્રમમાં રહેવાનો અમને એક સરસ અનુભવ થયો. બાપુજીની એટલી વ્યાવહારિકતા હતી કે અમને વિદાય આપવા જાતે અમારી મોટરકાર પાસે આવી પહોંચ્યા. બીજી વાર જલદી આશ્રમમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. મેં બાપુજીને કહ્યું કે “ઘણે ઠેકાણે ફરવાનું થયું છે. તેમાં સાયલાનો આપણો આ આશ્રમ પણ એક એવું સ્થળ છે કે જ્યાં ફરી ફરી આવવાનું મન થાય. આપણા આ આશ્રમની જે કેટલીક વાત મને વધુ ગમી છે તેમાં એક છે સ્વતંત્ર શિખરબંધી જિનમંદિર અને નિત્યના ક્રમમાં ચૈત્યવંદનને સ્થાન. આપણા આ આશ્રમમાં તીર્થંકર પરમાત્માને ગૌણ કરવામાં આવ્યા નથી અથવા “કૃપાળુદેવ એ જ અમારે મન તીર્થકર, બીજા તીર્થકરની અમારે જરૂર નથી”, એવી માન્યતા પ્રવર્તતી નથી. વળી આપણા આ આશ્રમમાં નવકાર મંત્રનું વિસ્મરણ થવા દીધું નથી. રોજેરોજ પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નવકારમંત્ર બોલાય છે અને ચૈત્યવંદન પહેલાં નવકારમંત્રની એક માળા ગણાય છે. તદુપરાંત સ્વાધ્યાયમાં ફક્ત વચનામૃત (ઉપદેશામૃત અને બોધામૃતસહિત) સિવાય બીજા કશાનું વાંચન નહિ જ એવો આગ્રહ ન રાખતાં, રોજેરોજ વચનામૃતના સ્વાધ્યાય ઉપરાંત અધ્યાત્મસાર, જ્ઞાનસાર, આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેનાં સ્તવનો, સઝાયો, પદોના અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોટી પૂજામાં આત્મસિદ્ધિની પૂજા ઉપરાંત પંચકલ્યાણકની પૂજા, અંતરાયકર્મની પૂજા, સ્નાત્રપૂજા વગેરેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તદુપરાંત સ્વાધ્યાયવાંચન તથા પ્રાર્થના-સ્તુતિ, પદો ગાવાં જેવી પ્રવૃત્તિમાં મહિલાઓ સહિત જુદી જુદી વ્યક્તિઓને સ્થાન આપી દરેકની શક્તિને ખીલવવાની સારી તક આપવામાં આવે છે. સાયલાના આશ્રમની આ વિશિષ્ટતાઓ અને એની સાધનાપદ્ધતિને કારણે અમને સાયલા વારંવાર આવવાનું મન થાય એવું છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy