SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વંદનીય હૃદયસ્પર્શ રહી છે. રેડિયોમાં કામ કરવાને લીધે અને પોતાની પણ એવી જ પ્રકૃતિને કારણે ચંદ્રવદન સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. કોઈ પણ સભામાં જવાનું હોય તો તેઓ નિયત સમય કરતાં વહેલા પહોંચ્યા હોય. સભાનું સંચાલન જો પોતે કરવાનું હોય તો ઘડિયાળના ટકોરે કરે, પછી ભલે ગમે તેટલી ઓછી હાજરી હોય. કોઈ સભામાં તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હોય અને ખબર પડે કે કાર્યકર્તાઓએ આગળ-પાછળ ઘણું બધું ભરી દીધું છે તો તેઓ મુખ્ય કાર્યકર્તાને એટલું જ કહેતા કે “તમારે જે રીતે કાર્યક્રમ ચલાવવો હોય તેમ ચલાવો, પરંતુ મારો સમય થશે એટલે હું હૉલછોડીને જતો રહીશ. પછી ભલે મારો બોલવાનો વારો આવે કે ન આવે.” ચંદ્રવદન એવી કડક રીતે કહેતા કે સભાના કાર્યકરોને તે વાતને ગંભીરપણે લઈને આયોજનમાં ફેરફાર કરવા પડતા. - ચંદ્રવદન ઔપચારિકતાના આગ્રહી હતા તેનો બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. સાહિત્યનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરનાર એક ટ્રસ્ટ તરફથી કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતનું અભિવાદન કરવાનો એક કાર્યક્રમ મુંબઈમાં ચંદ્રવદનના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. ચંદ્રવદન એ કાર્યક્રમ માટે મુંબઈમાં બે દિવસ અગાઉ આવી ગયા હતા, પરંતુ કાર્યક્રમમાં તેઓ ઔપચારિકતા ન સચવાયાને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા. મુંબઈમાં તેઓ આવ્યા કે તરત જ મેં એમનો સંપર્ક સાધ્યો હતો અને બચુભાઈના કાર્યક્રમની વાત નીકળી હતી. તેમણે કહ્યું કે “હા, કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં મારું નામ પ્રમુખ તરીકે છપાયું છે. પરંતુ હું તેમાં આવવાનો નથી.” એ સાંભળી મને આશ્ચર્ય થયું. કારણ પૂછ્યું તો કહે કે “આયોજકે ત્રણેક મહિના પહેલાં અમસ્તાં ક્યાંક અમે મળ્યા ત્યારે મારી મૌખિક સંમતિ લીધી હતી, પરંતુ મેં સ્પષ્ટ કહ્યું હતું કે “તમારો લેખિત નિમંત્રણ-પત્ર આવશે એટલે હું તમને લખીને સંમતિ જણાવીશ.' પરંતુ આજ દિવસ સુધી તેમનો કોઈ પત્ર આવ્યો નથી કે તેમણે મારો કોઈ સંપર્ક સાધ્યો નથી. કાર્યક્રમ માટે તેઓ ક્યારે ક્યાં મને તેડવા આવશે તેની કશી જ વાત થઈ નથી. તેમણે માની લીધું લાગે છે કે હું શોધતો શોધતો હૉલમાં પહોંચી જઈશ. પણ હું આ કાર્યક્રમમાં હાજર રહેવાનો નથી. આપણા ગુજરાતી આયોજકોને આયોજન અંગે પોતાની શી શી જવાબદારી હોય છે એની પણ પૂરી સમજ હોતી નથી.” કોઈ સભામાં જરૂર જણાય તો ચંદ્રવદન પોતાના વ્યક્તવ્યનો સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy