SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ જરામર પદને કામ સુખની પ્રાભિ પાળવું જોઈએ. દશવૈકાલિકસૂત્રની “રતિવાક્યાં ચૂલિકા પહેલી [ઉપર દશ અધ્યયને કહ્યાં. તેમાં છેલ્લા અધ્યયનમાં આદર્શ સાધુનાં લક્ષણો જણાવીને સાધુતાની સુંદરતા વર્ણવી. એવી વિશિષ્ટ સાધુતાને સાધક આઠે કર્મોને ક્ષય કરી અજરામર પદને પ્રાપ્ત કરી શકે છે, અર્થાત “મોક્ષ સુખની પ્રાપ્તિ માટે એવું વિશિષ્ટ સાધુપણું પાળવું જોઈએ, એમ સૂચવ્યું છે. હવે સંયમને અર્થી પણ કોઈ આત્મા અનાદિમેહની વાસનાના બળે, અજ્ઞાનને કારણે, કે કઈ વિશિષ્ટ આલંબનના અભાવે, ચારિત્રનાં કષ્ટને સહન કરતાં થાકે, તથાવિધ મોહના ઉદયને વશ થઈ ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થાય, અને તેથી ચારિત્ર છોડવાની પણ ઈચ્છા કરે, તે તેને ચારિત્ર પ્રત્યે પુનઃ રતિ” એટલે પ્રીતિ ઉત્પન્ન કરવા માટેનાં વાક્યો' (ઉપદેશક વચનો) આ ચૂલિકામાં રહેલાં છે. તેથી તે “રતિવાક્યા ચૂલિકા અથવા “રઈવક્કા ચૂલિઆ' કહેવાય છે. આ ચૂલિકામાં આપાતમધુર પણ પરિણામે દુઃખજનક ગૃહસ્થજીવનનું અને પ્રારંભમાં કષ્ટકારી છતાં અખંડ સુખને આપનારા શ્રમણ જીવનનું પરસ્પર સરસવ અને મેરુ જેટલું અંતર સમજાવ્યું છે અને પરમપુણ્ય પ્રાપ્ત થએલા સંયમજીવનરૂપી ચિંતામણની સહર્ષ રક્ષા કરવાને એકાન્ત કલ્યાણકારી ઉપદેશ કર્યો છે. એનું ચિંતન-મનન કરનાર અને આત્મપ્રકાશ પામીને સંયમની આરાધનામાં ઉત્સાહી બને તેવું તેમાં મધુર છતાં હિતકર અને તલસ્પર્શી વર્ણન કરેલું છે. દરેક મુમુક્ષુએ પ્રતિદિન એના અધ્યયનદ્વારા આત્માને જાગ્રત રાખવો હિતકર છે.] (सूत्र २१) इह खलु भो पव्वइएणं उप्पन्नदुक्खेणं संजर अरइसमावन्नचित्तेणं ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव हयरस्सिगयंकुस-पोयपडागाभूआई इमाइं अट्ठारस ठाणाई सम्मं संपडिलेहिअव्वाइं भवंति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy