SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર રાજા દરબારમાં બેઠા હતા ત્યારે વનપાલકે આવીને વધામણી આપી, "રાજન ! નગર બહાર કુસુમાકર નામના ઉદ્યાનમાં અનેક મુનિઓથી પરિવરેલા અતિશય જ્ઞાની શ્રી અભયંકરસૂરિ નામના આચાર્યભગવંત પધાર્યા છે.” આ સાંભળી રાજા અત્યંત આનંદિત થયો. તેણે વનપાલકને જિંદગીભરનું દળદર ફીટી જાય તેટલું ઘન/ ઈનામ આપ્યું અને પોતાના પરિવાર સાથે ગુરુભગવંતને વંદન કરવા તૈયાર થયો. રાજાને આખા દેશનો કારભાર હતો તોય જ્યાં ધર્મની વાત આવી ત્યાં બધું છોડીને તૈયાર થઈ ગયો. આપણે ય ઘર-કુટુંબ-દુકાન માટે આખી જિંદગી વેડફીએ છીએ તો ધર્મ માટે ઘડી-બે ઘડી સમય આપવા તૈયાર થઈએ. રાજા પોતાના રસાલા સાથે ઉદ્યાનમાં પહોંચ્યો. ગુરુભગવંતને ઉલ્લાસપૂર્વક ત્રણ પ્રદક્ષિણા-વંદનાદિ કરી યથોચિત સ્થાને બેઠો. યોગ્ય જાણી ગુરુ મહારાજ દેશના ફરમાવે છે : araraan ૧૯. કેવળી ભગવંતની દેશના Ja reducZOITIT Use Only www.ameraty.org TO Tarters 3
SR No.001800
Book TitleDrudh Samyaktvi Chandralekha
Original Sutra AuthorN/A
AuthorSuryodaysuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1998
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy