SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ચંદ્રલેખાની શય્યા લઈ જવી | 0 - 0 ૦ ૦ ૦ / 1 2 Follow @idend જોઈ યોગિનીએ એકાંતમાં ચંદ્રલેખાને કહ્યું, "ખરેખર ! તારો પતિ હવે તારો દાસ બની ગયો છે, અને તારી પ્રતિજ્ઞાઓ પણ પૂર્ણ થઈ ગઈ." "હા મા! પણ હજી એમને ખ્યાલ નથી આવ્યો કે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આ બધું નાટક કર્યું છે. માટે હવે લાગ શોધીને એ પણ કહેવું પડશે." એક દિવસ ચંદ્રલેખા અંતઃપુરમાં સોળે શણગાર સજીને બીજી રાણીઓ સાથે ગમ્મત કરી રહી હતી. ત્યાં રાજા આવી ચડયો. ચંદ્રલેખાએ વિચાર્યું કે, 'આ સારો લાગ છે. હવે ઘા મારીને ઘાટ ઘડી દેવો જોઈએ.” તેણીએ હસતા હસતા રાજાને કહ્યું, "રાજન ! અપરાધી ને અણમાનીતી હતી એટલે મારી પાસે તમે નહોતા આવતા તે તો બરાબર છે, પણ આ બધી રાણીઓએ શો ગુનો કર્યો હતો કે તમે તેઓને છોડી દીધી ? અથવા અપ્સરા સાથે વિલાસ માણતા તમને અમારા જેવાનું તો નામ લેવું પણ કયાંથી ગમે ?" આ સાંભળી રાજા ચમકી ગયો. તેણે ચંદ્રલેખાને ધારીને જોઈ અને ઓળખી ગયો. તેણે કહ્યું, "આ બધું શું છે? તે તું જ હતી?” ચંદ્રલેખા કહે, "હા! હું જ એ નાગરાણી ! આપને એંઠું ખવડાવનાર અને ગાદલું ને પલંગ ઉપડાવનાર હું જ ! બીજી નહિ!” રાજા કહે, "તારી ભલી થાય !” ચંદ્રલેખા : "રાજન્ ! વાણિયાની દીકરીને ઠગવી સહેલી લાગી પણ મેં ય આપને છેતરીને મારી પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ કરી તેનું આપને ભાન થયું?” આ સાંભળી રાજા ચોંક્યો. ગુસ્સો આવ્યો ન આવ્યો ત્યાં તો ચંદ્રલેખાએ કહ્યું, "રાજ ! યોગિનીને માધ્યમ બનાવી મેં આપનો જે અવિનય-અપરાધ કર્યો તેની હું માફી માંગું છું.” Jain Education International For Private 29ersonal Use Only www.jainelibrary.org
SR No.001800
Book TitleDrudh Samyaktvi Chandralekha
Original Sutra AuthorN/A
AuthorSuryodaysuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1998
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy