SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા અને સંસ્કારનો આદર્શ: ધર્મરુચિ જૈન સાધનામાર્ગના બે પાયા છે : વિરતિ અને જીવદયા. બન્ને એકમેકનાં પૂરક છે, અને બેમાંથી એક વિના બીજું ન જ પ્રગટે, ન જ જામે ને ન જ ફળે તેવી વણલખી યોજના છે. આ બન્ને પાયા જેને બચપણથી જ સાંપડે તેનું જીવન કેવું પવિત્ર, સંસ્કારપૂત અને ધન્ય હોય તેનો આલેખ ‘ધર્મરુચિ' ની જીવન કથા દ્વારા આપણને સાંપડે છે. સાથે સાથે એ પણ શીખવા મળે છે કે “જૈન” હોવું એટલે પરમાર્થી હોવું, પરગજુ હોવું, અને અન્યને ખાતર પોતાનું જીવન ન્યોછાવર કરતાં પણ અચકાવું નહિ. “જૈન” બીજાને બચાવે, મારે નહિ. જૈન” બીજાને ખાતર પોતાના જાનની બાજી લગાવી દે, પણ પોતાના જીવન ખાતર કોઇનો જીવ ન લે. મરણાંત કસોટી આવે તો પણ સાચો જૈન પોતાના વ્રત થકી વિચલિત ન થાય, પોતાનો ટેક, પોતાનો ધર્મ ન છોડે. સાચો જૈન ક્યારે પણ “ધર્મીને ઘેર ધાડ’ કે ‘ધર્મ કરતાં ધાડ પડી’ એવું માને નહિ, બોલે નહિ, વિચારે પણ નહિ. આવું આવું ઘણું બધું આ ધર્મરુચિ – આ બાળ શ્રાવક આપણને શીખવી જાય છે. આપણને સહુને અને આપણાં બાળકોને પણ, આમાંથી કાંઇ પ્રેરણા મળશે તો આ લેખન - પ્રકાશનનો પ્રયાસ લેખે લાગશે. આસો સુદિ ૧૫, સં. ૨૦૫૪ - વિજયશીલચન્દ્રસૂરિ વલસાડ For Private Jain Education Intemational G Personal Use Only ary One
SR No.001798
Book TitleBal Shravaka Dharmaruchi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1999
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Education
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy