SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નિત્યમારા | [ ૬૬ ] પશુ માટેા ઉપદ્રવ ગવવા પડ્યો. કયા પુરુષને સર્વ દિવસ સરખા સુખમય હશે! કહ્યું છે કે, कस्य वक्तव्यता नास्ति, को न जातो मरिष्यति । केन न व्यसनं प्राप्तम्, कस्य सौख्यं निरन्तरम् ॥ १ ॥ “ કાને કહેણી નથી, જન્મેલા કાણુ મરણ પામતેા નથી, કાણુ કષ્ટ ( દુ:ખ ) નથી પામ્યા, અને કાને સદાય સુખ હાય છે ? ” એક દિવસ સારઠ દેશમાં વિચરતાં જેમ નદીનું પૂર પર્વતથી અટકે તેમ તેનું (શુકરાજનું) વિમાન આકાશે જતાં અટકયું; ત્યારે બળ્યાના ફેલો, દાઝયા ઉપર ડામ, પડ્યા ઉપર પાટ્ટુ, ચાંદા ઉપર ક્ષારક્ષેપ, જેમ દુ:ખદાયી હૈાય તેમ તેથી તેનુ· ચિત્ત શૂન્ય ખની ગયું. પછી તે પરાક્રમી તત્કાળ નીચે ઉતરીને વિમાન ચાલતું અટકવાનું કારણ શું છે, તે તપાસવા લાગ્યા કે, તરત જ ત્યાંની જમીન પર જેમ મેરુપર્યંત ઉપર કલ્પવૃક્ષ શાલતુ હાય તેમ સુવર્ણ કમળ ઉપર બેઠેલા દેવતાઓએ સેવિત પાતાના પિતા ભૃગધ્વજ નામાં કેવળીને તેણે દીઠા. તત્કાળ જ ખરી ભક્તિથી તેમને પ્રણામ કરીને તેણે આશ્રિત જનનું દુ:ખ માતા, પિતા, વ્હાલા મિત્ર કે સ્વામીને નિવેદન કરવાથી એક વાર (કાંઈક) શાંત થાય છે માટે પેાતાનુ રાજ્ય ગયા સંબંધી વૃત્તાંત જણાવ્યા. કેવળી મહારાજે કહ્યું કે, એ પણ તને પૂર્વભવના પાપકર્મના વિપાક ઉત્ક્રય થવાથીજ થયું છે. મને ક્રયા કર્મીના વિષાક ઉડ્ડય આવ્યે છે, એમ તેણે પૂછયાથી ઉત્તર આપતાં ગુરુ મેલ્યા કે, “હે શુકરાજ સાંભળ :— તારા પૂર્વના જીતારીના ભૂવથી પણ પહેલાં કાઇક ભવમાં તુ ભદ્રિક પ્રકૃતિવાન્ ન્યાયનિષ્ઠ શ્રીનામના ગામમાં એક ઠાકેાર હતા. તને તારા પિતાએ પેાતાનું રાજ્ય સાંપ્યું હતુ, અને તારાથી નાના આતંકનિષ્ઠ નામે તારા એરમાન ભાઈ પ્રકૃતિયે ક્રૂર હતા તેને કેટલાંએક ગામ આપ્યાં હતાં. પેાતાના ગામથી બીજે ગામ જતાં એક વખત આત કનિષ્ઠ તને તારાનગરમાં મળવા આન્યા તે તેને પ્રેમપૂર્વક બહુમાન આપી કેટલાક દિવસ પાતાની પાસે રાખ્યા. દરમ્યાન એક દિવસ હાંસીમાં તે તેને એમ કહ્યું કે, “તું કેવા મારી પાસે કેટ્ટીની જેમ પકડાયા છે ! હવે તારે મારા એઠાં શી રાજ્યની ચિંતા છે? હાલ તું અહિંયાંજ રહે, કેમકે મેાટા ભાઈ બેઠાં નાના ભાઈએ શા માટે કલેશકારક રાજ્યની ખટપટ રાખવી જોઇએ! આરમાન ભાઈનાં આવાં વચન સાંભળતાં તે ખીકણુ ડાવાથી મનમાં વિચારવા લાગ્યા કે, “અરે! આ મારું રાજ્ય તેા ગયું કે શું ! હાહા! મહાખેદની વાત બની કે હું અહિંયાં આન્યા. હાય ! હાય !! હવે હું કેમ કરીશ? મારું રાજ્ય માટે હાથ રહેશે કે જતું રહેશે ? ” એમ આકુળવ્યાકુળ થઈને વારવાર તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy