SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । | [ પ ] આવાં વચન સાંભળીને જાણે શેકનાં કણિયાજ ન હોય એવાં આંસુ ઝરાવતે ચતુર થરાજ બે કે, “આ અમૂલ્ય તીર્થોની પાસે આવીને તેની યાત્રા કર્યા વગર કેવી રીતે પાછો ફરી શકું? ગમે તેવું ઉતાવળનું કામ હોય, તે પણ યથાચિત અવસર પર આવેલું ભેજન નહીંજ મૂકવું જોઈએ, તેમ યથોચિત ધર્મકાર્ય પણ મૂકવું નહીં જ જોઈએ. વળી માતા તો આ લોકના સ્વાર્થનું કારણ છે, પરંતુ તીર્થ સેવન તે આ લોક અને પરલોકના અર્થનું કારણ છે, માટે તીર્થયાત્રા કરીને તરત જ મારી માતાને મળવા આવીશ. તું હવે અહિંયાંથી પાછી વળ. હું તારે પાછલે પગલેજ આવી પહોંચીશ. મારી માતાને પણ એમજ કહેજે કે, હમણાં જ આવે છે.” આમ કહેવાથી તે દેવી ક્ષિતિપ્રતિષ્ઠિત ભણું ગઈ, અને શકરાજ કુમારે તીર્થયાત્રા કરવા જ્યાં શાશ્વતી પ્રતિમાઓ છે ત્યાં જઈ ત્યાંનાં ચિત્યોને મેટા આશ્ચર્ય પૂર્વક વંદન પૂજન કરીને પિતાના આત્માને કૃતાર્થ કર્યો. ત્યારપછી ત્યાંથી પાછા વળીને સત્વર પિતાની બન્ને સ્ત્રીઓને સાથે લઈ પિતાના સસરાની તેમજ ગાંગીલ ષિની રજા લઈને, શ્રી આદીશ્વરપ્રભુને નમીને, અનુપમેય અતિશય વિશાળ વિમાનમાં બેસીને ઘણા વિદ્યાધરનાં સમુદાયથી પરિવરે શુકરાજ મોટા આડંબર સહિત પિતાના નગર સમીપ આવી પહોંચે. નગરને ઘણા લોકો સામે આવી પગલે પગલે પોતાના મુખથી જેની પ્રશંસા કરી રહ્યા છે એ, સાક્ષાત ઇંદ્રમહારાજને પુત્ર જયંત જ ન હોય એ શુકરાજ નગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના પિતાના હુકમથી નગરવાસીઓએ તેના નગરપ્રવેશ સંબંધી મહત્સવ કર્યો, કેમકે, તેનું આગમન વરસાદની પેઠે સર્વને અત્યાનંદકારી થયું. ત્યારપછી શુકરાજ યુવરાજની પેઠે પિતાના પિતાનું રાજ્ય સંભાળવા લાગે. શું એ સામર્થ્યવાન હોવા છતાં પણ પિતાના પિતાની રાજ્યધુરા ન સંભાળે? સર્વ લોકને ક્રીડાનંદમયસમુદ્રસમાન વસંતઋતુ આવી ત્યારે તે રાજા પોતાના અને પુત્ર તેમજ પરિવાર સહિત બાગ બગીચામાં કીડાથે આવ્યા. ત્યાં સર્વ જન સ્વસમુદાયથી વચ્છેદ ક્રીડામાં પ્રવર્તવા માંડે છે, એટલામાં અકસ્માત માટે કળકળાટ શબ્દ સાંભળવાથી રાજાએ પૂછ્યું કે, આ ભયંકર શબ્દ કયાંથી થયે? ત્યારે તે શબ્દ થયાના પ્રયજનને માહિતગાર એક સુભટ આવી કહેવા લાગ્યો કે, “હે મહારાજ ! સારંગપુર નગરના વીરાંગ નામના રાજાને પરાક્રમી સૂર નામનો પુત્ર, પૂર્વ ભવના વૈરભાવને લીધે ક્રોધાયમાન થયેલે જાણે હાથી જ આવતો ન હોય! એમ બનીને હંસરાજ કુમાર સાથે લડાઈ કરવા આવ્યું છે.” આ વાત સાંભળતાં રાજા વિચારવા લાગ્યું કે, “હું તો માત્ર નામના જ રાજા છું, રાજ્યકારભાર અને તેની સારસંભાળ તો શુકરાજ કરે છે, વળી આશ્ચર્ય છે કે એ વીરાંગ રાજા મારો સેવક છતાં તેના પુત્રને મારા પુત્ર પર શું વેરભાવ?” પછી તે રાજા હંસરાજ તથા શુકરાજને સાથે લઈ તેની સામે ત્વરાથી દેડવા ધારે છે, એટલામાં એક ભાટ આવી તેને કહેવા લાગ્યું કે, “હે મહારાજ ! પૂર્વભવમાં હંસરાજે એને કંઈક પીડા ઉપજાવેલી છે, તેના વૈરભાવથી એ તેની જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy