SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ કર ] श्राद्धविधिप्रकरण । કરતાં શત્રુના બાણના પ્રહારથી મરણ પામીને તત્કાળ વ્યંતરિક દેવપણે ઉત્પન્ન થયું. તે વનમાં ભ્રમરની પેઠે ફરતાં અહીંયા આવ્યો હતો. તેણે તને જોઈ વિર્ભાગજ્ઞાનથી ઓળખીને કુકર્મમાં ગરક થયેલા તને ભવાંતર થયે હતા, તો પણ પોતાના પુત્ર ઉપર પિતા સદા હિતકારક હોય, માટે તારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી તે કઈ વાનરમાં અધિષિત થઈ તને આ દેખાવ દેખાડી બોધ કરી જ રહ્યો છે, પરંતુ આ તારી માતા સમશ્રી ઉપર એને પૂર્વભવને ઘાડે પ્રેમ હોવાથી હમણુંજ એ અત્ર આવી તારી સમક્ષ તેણીને સ્કંધ પર બેસાડી કયાંક લઈ જશે.” આ વાક્ય મુનિરાજ બેલી રહ્યા કે તરત જ તે જ વાનર ત્યાં આવી જેમ સિંહ અંબિકાને પિતાના સ્કંધ પર ચડાવી લઈ જાય, તેમ તેને સ્કંધ ઉપર બેસાડી ચાલતો થયે. મહારાજાનું કર્તવ્ય કેવું છે ! આ નજરોનજર જોઈને, અહ સંસારની વિટંબના! એમ ખેદયુક્ત બોલતે અને માથું ધુણાવતે શ્રીદત્ત ત્યાંથી મુનિને નમસ્કારાદિ કરીને પિતાની પુત્રીને સાથે લઈ નગરમાં ગયો. ત્યારબાદ સુવર્ણરેખાની અકા( વિશામવતી ગણિકા)એ દાસીઓને પૂછયું કે, આજે સુવર્ણરેખા ક્યાં ગઈ છે ? દાસીઓએ ઉત્તર આપ્યો કે, શ્રીદત્ત શેઠ અર્ધલાખ દ્રવ્ય આપી સુવર્ણરેખાને સાથે લઈ બાગબગીચામાં ફરવા ગયા છે. પછી અક્કાએ સુવર્ણરેખાને બોલાવવા માટે શ્રીદત્તને ઘેર દાસી મોકલી. તે શ્રીદરની દુકાન પર જઈને તેને પૂછવા લાગી કે, અમારી બાઈ સુવર્ણરેખા કયાં છે તેણે કહ્યું કે, શું અમે તમારા ચાકર છીએ, કે તેની તપાસ રાખીએ ? કોણ જાણે કયાં ગઈ હશે? આ વચને સાંભળીને દોષના ભંડાર જેવી દાસીએ જઈ અક્કાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો, કે જેથી તે સાક્ષાત્ રાક્ષસની માફક ક્રોધાયમાન થઈ રાજા પાસે જઈ ખેદ યુક્ત પોકાર કરવા લાગી. રાજાએ પૂછ્યું કે, તું શા માટે ખેદકારક પોકાર કરે છે? તેણીએ જવાબ આપે કે, ચોરમાં શિરોમણી શ્રીદને સુવર્ણરેખાને ચારી લીધી છે. રાજા વિચારવા લાગ્યું કે, જેમ ઉંટની ચોરી છાની રહે નહીં, તેમ ગણિકાની ચોરી પણ બીલકુલ છુપાવી છુપજ નહીં! પછી રાજાએ શ્રીદત્તને બેલાવી પૂછયું, ત્યારે તે પણ કાંઈ ખરેખરો ઉત્તર ન દેતાં ગુંચવાડામાં પડ્યો. કહ્યું છે કે, “વાનર તાલ સુર સાથે સંગીત ગાય છે અને પથ્થરની શિલા પાણીમાં તરે છે, તેના જેવું અસંભવિત (કેઈને વિશ્વાસન આવે તેવું ) વાક્ય પ્રત્યક્ષ ખડું દેખાતું હોય તે પણ ન જ બોલવું.” ખરેખર ઉત્તર શ્રીદત્ત આપતો નથી, માટે આમાં કાંઈ પણ કાવતરૂ હેવું જ જોઈએ, એવું મનમાં વિચારીને રાજાએ જેમ પરમાધામી પાપીને નરકમાં નાંખે તેમ, તેને કેદમાં પૂર્યો, એટલું જ નહીં પણ ક્રોધાયમાન થયેલા રાજાએ તેની માલ મિલકત જપ્ત કરવા ઉપરાંત તેની પુત્રી, દાસ, દાસી પ્રમુખને પિતાના સ્વાધીન કરી લીધા, કેમકે, જેના ઉપર દેવને કોપ થશે, તેની ઉપર રાજાની કૃપા પણ કયાંથી હોય? નારકાવાસ સમાન કારાગારના દુખ જોગવતાં શ્રીદતે વિચાર કર્યો કે, જ્યારે મેં ખરેખર વૃત્તાંત જાહેર કર્યો નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy