SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ -ત્યalધ | [ ૪૦૨] યજ્ઞની દક્ષિણ તરીકે કન્યા આપે તે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫ માતા, પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં માંહોમાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વ વિવાહ કહેવાય છે. ૬ કાંઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે, તે આસુરી વિવાહ કહેવાય છે. ૭ જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસ વિવાહ કહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પિશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની માહમાંહે પ્રીતિ હોય તો છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીને લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીને લાભ થાય અને પુરુષ તેનું જે બરાબર રક્ષણ કરે તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હમેશાં સમાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીન પણું જળવાઈ રહે છે, આચારવિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનના સત્કારનું પુણ્ય થાય છે. સ્ત્રીનું રક્ષણ. હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખર્ચ માટે માફકસર રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ હમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણ કહ્યું છે, તેમાં આ વાતનો વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ. વિવાહ વગેરેમાં જે ખરચ તથા ઉત્સવ વગેરે કરવો, તે આપણું કુળ, ધન, લેક વગેરેના ઉચિત પણ ઉપર ધ્યાન કઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે, પણ વધારે ન કરે, કારણ કે, વધુ ખરચ આદિ કરવું તે ધર્મકૃત્યમાં જ ઉચિત છે. આ રીતે જ બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે નાવ, મહાપૂજા, મહાનેવેદ્ય, ચતુર્વિધ સંઘને સત્કાર વગેરે ધર્મકુત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઈતિ ત્રીજું દ્વાર સંપૂર્ણ. (૩) યોગ્ય મિ. વળી મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા એગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિક પુત્ર, મદદ કરનાર નેકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હેવાથી ઉચિતપણાથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધ મિકપણું, ઘેર્ય, ગંભીરતા, ચાતુ, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાહ ઉપરનાં દ્રષ્ટાંતે પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy