SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ [ રેકર ] શ્રાવિધિtor અમાવાસ્યા તથા પૂણમા એ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારો હતા.” આ રીતે ભગવતી સૂત્રમાં તંગિકા નગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર માસે છ પર્વતિથિઓને વિષે તે પૌષધ વગેરે યથાવિધિ કરતો હતો. એક વખતે ધનેશ્વરશ્રેણી અષ્ટમીના પૌષધ કરેલ હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યો ત્યારે સૌધર્મો છે તેની ધર્મની દઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કઈ મિથ્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યા. પહેલાં તેણે શેઠના દસ્તનું રૂપ કકટ કરી “ ક્રોડા સોનૈયાને નિધિ છે. તમે આજ્ઞા કરે તો તે હું લઉં.” એમ ઘણી વાર શેઠને વિનંતી કરી, પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રુપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની ) ઘણું કદથના કરી. તે પછી મધ્ય રાત્રી હોવા છતાં પ્રભાત કાળને સૂર્ય ઉદય તથા સૂર્યનાં કિરણ વિકુવીને તે દેવતાએ શેઠનાં સ્ત્રી પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેઠને પોષધનું પારણું કરવાને માટે ઘણી વાર પ્રાર્થના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યો, તે પણ સઝાય ગણવાને અનુસાર મધ્યરાત્રી છે એમ શેઠ જાણતો હતો, તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડયો નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાકૃતિક પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા, તે પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયે નહીં. કહ્યું છે કે- આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ એમણે પકડી રાખી છે, તે પણ ચલે છે, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા પુરૂષનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તો પણ ચલે નહીં. પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું “હું સંતોષ પામે છું, તું વાંછિત વર માગ.” એમ કહ્યું તે પણ શેઠે પોતાનું ધર્મધ્યાન છેડયું નહીં તથા અતિશય પ્રસન્ન થએલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડ સોનેયાની અને રાની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણા લોકો પર્વ પાળવાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાનો બેબી, ઘાંચી, અને એક કોટુંબિક (ખેડૂત નોકર ) એ ત્રણે જણ જે કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમણે ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ પર્વેને વિષે પોત પોતાને ધંધે તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધમી જાણે તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણ આપી જોઈએ તેટલું ધન વગેરે આપી તેમને ઘણે આદરસત્કાર કરતે હતો. કહ્યું છે કે–સુશ્રાવક સાધમીનું જેવું વાત્સલ્ય કરે છે, વાત્સલ્પ માતા, પિતા અથવા બાંધવ જને પણ કેઈ કાળે કેસ ન શકે. આ રીતે શેઠને ઘણે સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યકત્વધારી થયા. કહ્યું છે કે-જેમ મેરૂ પર્વતે વળગી રહેલું તૃણ પણ સુવર્ણ બની જાય છે, તેમ પુરૂષને સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે. એક દિવસે કૌમુદી મહોત્સવ થવાને હતો, તેથી રાજાના લેકે “ આજે ધેઈને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે ધાબીને લેવા આપ્યા. બીએ કહ્યું, “મને તથા મારા કુટુંબને બાધા હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર જોવા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy