SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ હિન- પ્રવાહા ! [ ૨૨૩ ] રવા ઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે સાગર! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રનથી ભરેલો છે, છતાં મહારા હાથમાં દેડકો આવ્યો ! એ ત્યારે દેવું નથી પણ હારા પૂર્વકનો દોષ છે પછી શેઠે “એ પુત્રીનો એકે ઉત્સવ થયો નથી માટે મોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડયો. લગ્ન દિવસ નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત મરણ પામી ! ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુનો હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. મોટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર પડી હતી, અને સાસરા આદિ સર્વે લેકને માનીતી હતી, તે પણ પૂર્વની પેઠે નવા નવા ભય, શેક, માંદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પિતાના મનગમતા વિષયસુખ, તથા ઉત્સવ ભેગવવાનો વેગ પ્રાયે ન જ મળે તેથી તે મનમાં ઘણું ઉદ્વિગ્ન થઈ, અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું છે કે, “પૂર્વભવે તે થોડો નકર આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને હોટે આડંબર દેખાડે તે જે દુષ્કર્મ ઉપાર્યું તેનું આ ફળ છે.” કેવળીના એવા વચન સાંભળી તે પ્રથમ આયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિવણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે. માટે ઉજમણુ આદીમાં મૂકવા પાટલીઓ, નાળિએર, લાડુ, આદી વસ્તુ જેનું મૂલ્ય હોય, તથા તે તૈયાર કરતાં, લાવતા જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કેઈએ પોતાના નામથી ઉજમણા પગેરે માંડયું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોવાથી માંડેલાં ઉજમણાની રીત બરાબર સાચવવાને અર્થે કોઈ બીજો માણસ કાંઈ મૂકે, તે તેથી કેઈ દેષની પ્રાપ્તિ થતી નથી. ઘરદેરાસરમાં ચઢાવેલ અક્ષતાદિની વ્યવસ્થા પિતાના ઘરદેરાસરોમાં ભગવાન આગળ મૂકેલા ચિખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, લેગ (કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બીજા જિનમંદિરમાં પણ પોતે ભગવાન્ ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લોકોના હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકને ગ ન હોય તો સર્વે લોકોને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનું ન ખરચતાં ફેગટ લોકો પાસેથી પિતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ગણવી. જે પ્રેમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાનો ઠરાવ કર્યો હેય, તે કાંઈ દેષ નથીમુખ્યમાર્ગે જતાં માળીને માસિક પગાર જૂદે જ આપો. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ હેટા જિનમંદિરે મૂકવી, - ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy