SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૪૩] છે તથા ગોળનો દીવો કરે, અગ્નિમાં લુણનિક્ષેપ કરવું એ શાંતિક પૌષ્ટિક કાર્યમાં ત્તમ જાણવાં. ફાટેલાં, સાંધેલાં, છેદેલાં, રાતા રંગવાળા, દેખીતાં ભયંકર વસ્ત્ર પહેરવાથી ન, પુજા, તપ, જપ, હોમ, સામાયિક, પ્રતિક્રમણ પ્રમુખ સાંધ્ય કૃત્ય નિષ્ફળ થાય છે. વાસને સુખે બેસી શકાય એવા સુખાસને બેસી નાસિકાના અગ્રભાગે નયન સ્થાપી જીથી (મુખકેશથી) મુખ ઢાંકીને મૌનપણે ભગવંતની પૂજા કરવી. એકવીશ પ્રકારી પૂજાનાં નામ. ૧ સ્નાત્ર પૂજા, ૨ વિલેપન પૂજા, ૩ આભૂષણ પૂજા, ૪ પુષ્પ પૂજા, ૫ વાસક્ષેપ જા, ૬ ધૂપ પૂજા, ૭ દીપ પૂજા, ૮ ફળ પૂજા, ૯ તંદુલ (અક્ષત) પૂજા, ૧૦ નાગરલિના પાનની પૂન, ૧૧ સોપારી પૂજા, ૧૨ નિવેદ્ય પૂજા, ૧૩ જળ પૂજા, ૧૪ વસ્ત્ર પૂજા, ૫ ચામર પૂજા, ૧૬ છત્ર પૂજા, ૧૭ વાજિત્ર પૂજા, ૧૮ ગીત પૂજા, ૧૯ નાટક પૂજા, ૦ સ્તુતિ પૂજા, ૨૧ ભંડારવર્ધન પૂજા.” “એમ એકવીશ પ્રકારની જિનરાજની પૂજા, સુરાસુરના સમુદાયે કરેલી સદાય પ્રસિદ્ધ , તેને કલિકાલના યોગથી કુમતિ કે ખંડન કરી છે, પણ જે જે વસ્તુ જેને પ્રિય હોય ને ભાવની વૃદ્ધિ માટે પૂજામાં જવી. તેમજ ઈશાન દિશાએ દેવગૃહ હોય એમ વિવેકવિલાસમાં કહેલું છે. વળી વિવેકપેલાસમાં કહ્યું છે કે – વિષમાસને બેસી, પગ ઉપર બેસી, ઉત્કટ આસને બેસી, ડાબો પગ ઊંચે રાખી સબા હાથથી પૂજા કરવી નહીં, સુકેલાં, જમીન પર પડેલાં, પાંખડીઓ જેની વીખરાઈ ઈ હોય, જેને નીચ કે સ્પર્શેલાં હાય, વિકર થયેલાં ન હોય, એવાં પુષ્પથી પૂજા રવી નહીં. કીડા પડેલ, કીડે ખાધેલ, ડોડાથી છૂટું પડેલ, એક બીજાનાં લાગવાથી વિંધાલ, સડેલ, વાસી, કરોળીઓ લાગેલ, નાભિને પશેલું, હીન જાતિનું, દુર્ગધવાળું, ગંધ વિનાનું, ખાટી ગંધવાળું, મળમૂત્રવાળી જમીનમાં ઉત્પન્ન થયેલ, બીજા કોઈ પદાર્થથી અપવિત્ર થયેલ હેય એવાં ફૂલ વર્જવાં.” વિસ્તારથી પૂજાના અવસરે અથવા દરરોજ અને વિશેષથી પર્વ દિવસે ત્રણ, પાંચ, આત કુસુમાંજલી ચઢાવવાપૂર્વક ભગવંતની સ્નાત્ર પૂજા ભણાવવી. સ્નાત્ર પૂજા ભણાવવાની રીતિ. સવારમાં પહેલાં નિમીય ઉતારવાં, પખાલ કરે, આરતી, મંગળ દીવો કરવો. એ ક્ષેપથી પૂજા છે. ત્યારપછી સનાત્રાદિ સવિસ્તર બીજી પ્રજાના પ્રારંભમાં દેવની આગલ સરવાસિત જળ ભરેલે કળશ સન્મુખ સ્થાપન કરો. ત્યાર પછી હાથ જોડીને નીચે માણે કહેવું– For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy