SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી તે જૈન અને જૈનેતરપ્રજામાં પર્વની આરાધના કરવા માટે તિથિની માન્યતામાં પરસ્પર વિસંવાદ રહે છે. અને રહે તે અસ્વભાવિક નથી. આર્ય જનતાના નિયમ પ્રમાણે તિથિની ઉત્પત્તિ અને નિયમન, ચંદ્રની ગતિના આધારે રહે છે, તેથી આર્યજનતાને ચંદ્રની ગતિના આધારે તિથિમાં નિયમિતપણે કરવું પડે છે. ચંદ્રની ગતિ દરેક મહીને અને દરરોજ તેમજ દરેક દેશે અનિયમિત હોવાને લીધે તિથિની અનિયમિતતા થાય એ પણ અસ્વાભાવિક નથી. આર્યજનતાના મહિના અને તિથિઓ ચંદ્ર ગ્રહ, અને નક્ષત્ર આદિકની ચાલ ઉપર આધાર રાખે છે. જયારે આતરોના તહેવારો અને દિવસો ચંદ્ર, ગ્રહો કે નક્ષત્રના ચારની સાથે સંબંધ રાખતા નથી. અને તેને લીધે તો આતરોને માત્ર અનુક્રમે દિવસો ગણવાના રહે છે. પરંતુ આર્યપ્રજાને એકલી દિવસોની ગણત્રી નથી હોતી. આર્યપ્રજાને તો ચંદ્રને આધારે કે રૂાને આધારે થતા મહિનાઓ અને અને તિથિઓની ગણત્રી કરવી પડે છે. જો કે આર્યજનતાને પણ કમ સંવત્સર નિયમિત ત્રીસ દિવસથી થયેલા મહિનાવાળો જ હોય છે. અને આર્યોમાં સૂર્યસંવત્સર, સૂર્યની ગતિની અપેક્ષાએ નિયત થયેલા જ માનવામાં આવ્યો છે. તો પણ તિથિ અને તહેવારોની આરાધનામાં તે કર્મ સંવત્સરના કારણભૂત કર્મમાસ અને સૂર્ય સંવત્સરના કારાગભૂત સૂર્યમાસ અને તેની-તેની તિથિઓ લેવામાં આવતી નથી. કિન્તુ માત્ર ચંદ્રની ગતિએ આધારે થતી અને પ્રવર્તતી તિથિને જ (પર્વ અને તહેવાર તરીકે) લેવામાં 'S 2:21 રી xatihan Jain E sa fless દો “ W alte orary.org
SR No.001777
Book TitleAudyiki Tithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy