SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય તથા સમાપ્તિ બેમાંથી એક પણ નથી તેવા દિવસે ચોથ માની શ્રીસંવત્સરી કરવાથી ‘ઉદય તથા સમાપ્તિ એ બેમાંથી એકેય ન હોય તેવી તિથિ લેવી જ નહી” એવા શાસ્ત્રનિયમનો ખુલ્લો ભંગ થાય છે.' આ પ્રમાણે જાહેર લખાણ કરીને શાસનપક્ષ સામે આક્રમણ કરનાર તેનવામતીઓના વારસદારોને મારા પ્રશ્નો છે. તેના આજના તેમના વિદ્યમાન વારસદારો અથવા તે મતને માનનારાઓ અથવા ખાલી ‘ઉદય” ના નામને આગળ કરનારાઓ શાસ્ત્ર અને પરંપરાના આધારો આપવા પૂર્વક મારા પ્રશ્નોના ઉત્તરો આપશે ખરા? પ્રશ્ન ૧–આ ઉદય, ભોગ અને સમાપ્તિનું જ્ઞાન તેમજ ઉદયતિથિ તરછોડીને બીજી તિથિ માને તો આજ્ઞાભંગ, અનવસ્થા, વિરાધના અને મિથ્યાત્વ લાગવાની વાતનું જ્ઞાન આપ સહુને નવો મત કાઢયા પછી થયું કે તે પહેલાં પણ હતું? પ્રશ્ન ૨ – જો તમો કહેતા હો કે આ ઉદય સમાપ્તિ આદિનું અને આજ્ઞાભંગાદિ દોષોનું જ્ઞાન પહેલેથીજ હતું તો તમારા ગચ્છાધિપતિ બનેલા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. ની દીક્ષાથી માંડીને ૧૯૯૨ના શ્રાવણમાસ સુધીના દીર્ધકાળ સુધી તેઓ તમો અને સમાજ આ બધાયને તે જ્ઞાન કેમ પીરસાયું નહિ? પ્રશ્ન ૩- આ જ્ઞાન, રામચંદ્રસૂરિજીને અને હિમાંશુસૂરિજી દ્વારા હવે જેમના નામે પ્રશ્નોત્તરો રહી રહીને જાહેર કરાય છે તે આ. શ્રી વિજ્યદાનસૂરિજી મ. ને પાગ પહેલેથી જ હતું તો સં. ૧૯૯૩ ના આસો માસ સુધી તમો, તમારા ગુરૂ અને દાદાગુરૂ આદિ બધાએ શ્રી વિજયદેવસૂરતપગચ્છની અવિચ્છિન્ના સમાચારી પ્રમાણે ર– - - - - Jain E Sww2S zera: | ૩૫ "Stream - : 3 Tentary.org
SR No.001777
Book TitleAudyiki Tithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy