________________
હવે, વારંવાર પૂછાતો એક પ્રશ્ન અને એના ઉત્તર -
પ્રશ્ન : આઠમના ક્ષયે સાતમની આઠમ કરવી.. વગેરે ફેરફાર તમે આરાધના માટે જ કરો છો, મૂહૂર્ત માટે તો પાછી એ દિવસે સાતમ જ માનો છો. આના બે સૂચિતાર્થ શું ન નીકળી શકે? (૧) ખરેખર એ દિવસે સાતમ જ પ્રામાણિક છે,આઠમ ખોટી છે. (૨) મુહૂર્ત ખોટા દિવસે થાય તો ધનોતપનોત નીકળી જાય, આરાધના ખોટા દિવસે થાય તો વાંધો નહીં... અર્થાત્ મુહૂર્ત મહત્ત્વનું છે, આરાધના ગૌણ છે.
ઉત્તર ઃ જુઓ આત્મકલ્યાણની બાબતમાં શાસ્ત્રવચનો જ પ્રમાણ છે બુદ્ધિ જન્ય કુતર્કો નહીં. આ વાત સૌ પ્રથમ નિશ્ચિત હોવી જોઇએ. જો આ નિશ્ચય થશે તો જણાશે કે આ બન્ને કુતર્કો છે તે આ રીતે
શાસ્ત્રકારોએ આરાધના માટે ક્ષયે પૂર્વા. એવું માર્ગદર્શન આપ્યું છે. મુહૂર્ત માટે નહીં. આરંભસિદ્ધિ મુહૂર્ત ચિન્તામણિ વગેરે જ્યોતિષના ગ્રંન્થો છે. એમાં ક્યાંય પણ આવું દર્શાવ્યું હોય કે વિવક્ષિત મુહૂર્ત માટે જે તિથિ વિહિત હોય તેનો ક્ષય હોય તો એ મુહૂર્ત આગલા દિવસે લેવું.. તો આપણને એ ક૨વામાં પણ કોઇ વાંધો છે જ નહીં. પણ એવું ક્યાંય દર્શાવ્યું નથી. માટે ક્ષીણતિથિનું મુહૂર્ત આગલા દિવસે લેવાતું નથી. અમારે તો ભાઇ! સમાધાન કરીને આત્મકલ્યાણ સાધવું છે. એટલે શાસ્ત્રકારોએ આપેલા માર્ગદર્શનને જ અમે અનુસરીએ. હોઠ પર શાસ્ર શાસ્ત્ર કરતાં રહેવું..ને હૈયે (વર્તનમાં) બુદ્ધિજન્ય કુતર્કોને મહત્ત્વ આપી શાસ્ત્રાર્થીને ઓળવતા રહેવું આ અમને પાલવે નહીં...
Jain Education International
[ ૨૨ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org