SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોને ગુમરાહ કરનારૂં હોવાથી મારા પુસ્તકમાં શાસ્ત્રાધારો સાથે તટસ્થ સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ લેખકશ્રીએ ‘તિથિ અંગે સત્ય અને સમાધાન ભાગ-૨' નામનુ પુસ્તક બહાર પાડ્યુ છે. તે પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં કરેલા મારા લખાણના અંશો પુરતો તથા અન્ય જરૂરી ખુલાસો આ તટસ્થ સમીક્ષા ભાગ-૨માં મેં કર્યો છે. આ તટસ્થ સમીક્ષા જેમ જેમ વાંચવામાં આવશે તેમ તેમ ૫. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની પંક્તિ, ‘જિન વચન પૂ અન્યથા દાખવે આજતો વાજતે ઢોલ રે’ લેખકશ્રીના ભાગ-૨ અંગે છે તે અત્યંત સ્પષ્ટ થઇ જશે. સૌ પ્રથમ તો લેખક પૂજ્યશ્રી દ્રવ્યસત્ય અને ભાવસત્યની તેઓશ્રીની સ્વમતિ કલ્પિત વ્યાખ્યા માટે આજ સુધી કોઈ જ શાસ્ત્રાધાર આપી શક્યા નથી. શાસ્ત્રાધાર ન હોવાથી તેઓશ્રીએ હરણીયા અને શિકારીનું દ્રષ્ટાંત આપવા દ્વારા દ્રવ્યસત્ય અને ભાવસત્ય સમજાવવાનો નિરર્થક પ્રયત્ન કર્યો અને વિમાસણભરી પરિસ્થિતિમાં મુકાવું પડયું. જેનો તેઓશ્રીએ તેમના પ્રસ્તુત પુસ્તક ભાગ–૨માં મને કમને સ્વીકાર કરવો પડયો. અધુરામાં પુરુ હોય તેમ તેઓશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ ના પૃષ્ઠ -૧ ઉપર જણાવે છે કે, *શ્રી સંઘે ઠેરવેલા એક દિવસે બધાએ આરાધના કરવી. આ તિથિ અંગેનું ભાવસત્ય છે. આવી તારવણી શાસ્ત્રપાઠ અને પૂર્વાચાર્યના સંદર્ભો વગેરે પરથી મેં ‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ નામની પુસ્તિકામાં રજુ કરી છે.’ Jain Education International 2 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy