SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગ સ્વીકારીને શ્રીસંઘની કામચલાઉ એકતા સાધી શકાય ખરી? આ પ્રશ્નની છણાવટ કરતાં આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા લખે છે કે, હા, જુદા જુદા સમુદાયના અનેક આચાર્ય ભગવંતો સાથે આ અંગે વિચારવિમર્શ થતાં ઘણાને આવો માર્ગ સૂક્યો છે કે સામાન્યથી જન્મભૂમિ પંચાંગને અનુસરવું, પણ જે વર્ષે જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય કે વૃદ્ધિ હોય એ વર્ષ માટે એવા કોઇ શહેરનું પંચાંગ સ્વીકારવું કે જેમાં ભાદરવા સુદ પાંચમના ક્ષય કે વૃદ્ધિ હોય નહીં.” આચાર્યશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા જો એમ કહેવા. માંગતા હોય કે એક વર્ષ માટે નહીં પણ પર્યુષણના આઠ દિવસ પૂરતું આ પ્રકારનું પંચાંગ અપનાવવું જોઈએ તો તેમાં પણ મુશ્કેલી છે, કારણ કે આ રીતે માત્ર આઠ દિવસ માટે પંચાંગ બદલવાની આપણે ત્યાં કોઇ પરંપરા નથી. વિક્રમ સંવત ૨૦૧૪માં આપણા શ્રીસંઘે જે જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું તે આઠ દિવસ માટે નહીં પણ કાયમ માટે સ્વીકાર્યું હતું. માત્ર આઠ દિવસ માટે અન્ય પંચાંગ સ્વીકારવું હોય તો તે માટે પણ શ્રીસંઘમાં સર્વાનુમતિ સધાવી જોઇએ. કયું પંચાંગ સ્વીકારવું જોઇએ? એકવખત જો શ્રીસંઘ આઠ દિવસ માટે બીજું પંચાંગ અપનાવવાનો નિર્ણય કરે તો બીજો સવાલ ઉપસ્થિત થશે કે આઠ દિવસ માટે જન્મભૂમિ પંચાંગનો ત્યાગ કરીને ક્યું પંચાંગ અપનાવવું? તેના જવાબમાં બે પ્રકારનાં પંચાંગો આપણને મળે છે. પહેલો પ્રકાર: ભાદરવા સુદ ચોથ બે હોય તેવાં પંચાંગો (સોલાપુર અને હૈદરાબાદનાં પંચાંગો). બીજો પ્રકારઃ ભાદરવા સુદ એકમથી પૂનમ વચ્ચે કોઇ પણ તિથિની. ક્ષયવૃદ્ધિ ન આવતી હોય તેવાં પંચાંગો (શ્રી ઋષિકેષ પંચાંગ અને શ્રી વેંકટેશ પંચાંગ). ૪૨ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001767
Book TitleParvatithina Bhavsatyani Raksha Karie
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy