SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૬) ક્ષયે પૂર્વા શ્લોકમાં કાર્યા અને ગ્રાહ્યા બે માં કયો પાઠ વધારે પ્રમાણિક છે? તથા બે પાઠ ભેદથી અર્થભેદ થાય છે કે એક જ અર્થ રહે છે ? કાર્યા વાળા પાઠનો અર્થ ગ્રહણ કરવી આવો શીરીતે ર્યો છે ? અને વૃદ્ધિમાં પણ કાર્યા શબ્દ છે, તેનો અર્થ ‘ગ્રહણ કરવી' શા આધારે કરવામાં આવ્યો છે ? કાર્યા પાઠને આધારે ક્ષયમાં પૂર્વ તિથિ કરવી એટલે કે સાતમને આઠમ કરવી એમ કહે તો તેને ક્યા પ્રમાણથી રોકી શકાય ? વળી ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિને પર્વતિથિ કરવી એમ અર્થ ક૨વામાં પર્વ શબ્દ ક્યાંથી લાવવો? અને ક્યા પ્રમાણથી આવે ? અને જો પર્વ શબ્દ શ્લોકમાં નથી અને લાવી ન શકાય તો આ શ્લોક પર્વ તિથિ માટે છે ? એમ શા ઉપરથી માનવું ? દરેક તિથિ માટે કેમ ન હોય ? પૂર્વાચાર્યો મહારાજાઓએ પર્વ તિથિના વિચારમાં આ શ્લોક મૂક્યો છે. માટે તેમના વચન પ્રમાણથી પ્રકરણને આધારે તિથિઃ કાર્યા એટલે પર્વ તિથિ પૂર્વતિથિને કરવી એવો અર્થ નીકળે. બીજો ઉપાય નથી. ગ્રાહ્યા પાઠથી ગ્રહણ કરવી એવો અર્થ લેવામાં વાંધો નથી પણ ઉદયતિથિ લેવી એવો પાઠનો અર્થ શા આધારે કરવો ? તે પ્રમાણ આપવું જોઈએ. દા.ત. સોમવારે સૂર્યોદય વેળાએ સાતમ હોય અને બે ઘડી પછી આઠમ બેઠી તે સૂર્યોદય પહેલા પૂરી થઈ તેથી સોમવારનો આખો દિવસ સાતમ જ ગણાય છે. સાતમ અને આઠમ બે ગણાતા નથી. આપણે તેને આઠમ માનીને તન્નિમિત્તક આરાધના કરવી છે, તેથી ભલે આઠમ માનીએ અને તો પછી તેને આપણાથી સાતમ માની શકાય નહીં, છતાં માનીએ તો કયા આધારે ? અને ટીપ્પણાને હીસાબે તો તે સાતમ જ છે. આઠમ નથી પછી તેને સાતમ-આઠમ કઈ રીતે કહી શકીએ ? કાં તો સાતમ કહો કાં તો આઠમ કહો. બે કહેવાનું પ્રમાણ જોઈએ ને ? તે આપશો. જે આપવું જરૂરનું હતું. કેમ કે શ્લોકનો શબ્દાર્થ કરવામાં પ્રમાણ વિના બરાબર ઠસે નહીં. ‘ક્ષયતિથિ સંપૂર્ણ ભોગવાય છે’ અને ‘જે દીવસે પ્રસ્તુત તિથિ પૂર્ણ થાય છે’ એ વધારો શબ્દાર્થમાં ન કરવો જોઈએ. કરવો હોય તો પ્રમાણ મુકવું જોઈએ. કા૨ણ કે સૂત્ર કાંઈ બોલતું નથી બીજા ત્રીજા સંદર્ભ જોડીને અર્થ કરીએ તો તેમાં પણ પ્રમાણ જોઈએ. કોઈ કોઈ સંદર્ભ જોડે અને કોઈ કોઈ સંદર્ભ જોડે તો તેથી નવો વિવાદ ખડો થાય. માટે સંદર્ભ અમૂક જ જોડાય અને અમુક ન જોડાય પણ તેના પણ પુષ્ટિ પ્રમાણો મૂકવા જોઈએ. કારણ કે આ ચોપડી બાળ જીવોને પણ સમજાય તેવી રીતે લખાય છે. થોડું લંબાણ થાય તેની ચીંતા ન કરતા સ્પષ્ટ કરવું વધારે લાભકારક થાય છે. Jain Education International ૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy