SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પર્વવ્યપદેશ મંતવ્ય - - - - - - ચાર્યોની માન્યતા તે પકુખી પણ પહેલાં પૂર્ણિમાની હતી, એ શાસ્ત્રલેખેથી સ્પષ્ટ છે. મુદ્દો ૧૬–પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરોપ દ્વારા પાક્ષિક કે ચોમાસી માનવામાં આવે તો અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિદિવસનું ઉલ્લંઘન તથા ભાદરવા શુદિ પહેલી પાંચમે આરોપદ્વારા ભા. શુદિ ચેાથ માની સંવસરી કરવામાં આવે તે ૩૬૦ ત્રિદિવસનું ઉલ્લંઘન થાય કે નહિ? સમાલોચના--તેરશ માનીને ચોમાસી કરે અને ત્રીજ માનીને સંવત્સરી કરે તેવા નવા વર્ગને તે તે દિન સંખ્યાનું ઉલ્લંઘન થાય અને તેથી અનંતાનુબંધિ અને મિથ્યાત્વમાં જાય. ટીપણુની પહેલી પૂનમ, અમાસ કે પાંચમની પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તે તે નામે સંજ્ઞાજ નહિં રહેતાં અનુક્રમે ચૌદશ અને ચેાથનીજ સંજ્ઞા હેવાથી તે તે સંખ્યા પ્રમાણે રાત્રિ-દિવસનું ઉલ્લંઘન થતું નથી, પરંતુ ચૌમાસી ચઉદ. શના ક્ષયના વખતે ઉદયવાળી તેરશ ગણીને જેઓ તે તેરશમાંજ માસી ચૌદશ માનનાર છે, તેને તે ૫૦ અને ૭૦ દિવસની “શ્રી સંવછરીને અંગે આગળ પાછળની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, અને પકુખી ૧૬ મા દિવસે તેમજ માસી ૧૨૧મા દિવસે થવાથી પકુખી અને ચોમાસાની મર્યાદાનું પણ ઉલ્લંઘન થાય છે. એવી જ રીતે ભાદ્રપદ સુદિ ચોથના ક્ષયે સૂર્યોદયવાળી ત્રીજ માનીને તે ત્રીજને દિવસે કે-સંવત્સરી કરનાર વર્ગને આગામી સંવત્સરીએ પણ ૩૬૧ દિવસજ થતા હોવાથી મિથ્યાત્વાદિક દેમાં જવું જ પડે છે મુદ્દો ૧૭– આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હોય છે, અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધાતિથિના ભગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હોય છે એજ એક હેતુથી “ફ ga વિશિર્વાલા (તિથિ કાર્યા) વૃદ્ધો ગ્રાહ્ય (ાથ) તત્તરા” એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ, અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરાતિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાઈ છે કે તેની આજ્ઞા કરવામાં ભગવટાની સમાપ્તિ સિવાયને કેઈ હેતુ રહેલો છે? સમાલોચના–ક્ષયમાં પૂર્વ તિથિ અને વૃદ્ધિ પ્રસંગે ઉત્તરતિથિ લેવામાં ભાગ કે સમાપ્તિને હેતુજ નથી. પૂર્વ નાં બે વા તિથિગ અને સમાપ્તિને અંગે નથી, પરંતુ અપર્વના સૂર્યોદયને પર્વને સૂર્યોદય ગણવા અને વૃદ્ધિના પહેલા સૂર્યોદયને નહિ ગણવા માટે છે. જે એમ લેવામાં ન આવે અને ભાગવટાની કે સમામિની વાત લેવામાં આવે તો નવમી-પ્રતિપદ વિગેરેને ક્ષય હેય ત્યારે અષ્ટમી અને પૂર્ણિમાને (ચૌદશના ક્ષયે એ વગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy