SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ટક * * * * < ' , - - - - - - - ૬૧ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી પર્વતિથિની હાનિ વૃદ્ધિએ તે હીના કે વૃદ્ધા પર્વતિથિની પૂર્વા અગર પૂર્વતરા તિથિની હાનિ વૃદ્ધિ કરવાનું કહે છે તે મૃષાવાદ આદિ દોષને પાત્ર તે છેજ પણ તેમ કરવામાં આવે તે પર્વલેપના પાત્ર પણ બનાય છે. કારણકે ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી પર્વતિથિએ તેના પર્વને નથી મનાતું અગર તે ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી પર્વતિથિને અપર્વ તિથિ માની તેના વિરાધક બનાય છે. આથી પર્વતિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ વૃદ્ધિ માનવાની વાત શાસ્ત્રસમ્મત હેઈ શકેજ નહિ અને એથી ૧૯“જે પૂર્વી તિથિ: રજા, વૃત્તી નાં તત્તcr” એ આજ્ઞામાંથી પણ એ વાત નીકળી શકે જ નહિ. આવી રીતે વૃદ્ધિના પ્રસંગમાં શ્રી “તત્વતરંગિણીમાં અને શ્રી પ્રવચન પરીક્ષામાં દિન અગર માસની વૃદ્ધિને અંગે સંપૂર્ણપણાને લીધે કે ભેગની અધિકતાને લીધે જે દૂષણે કે સાધને ખરતરગચ્છવાળાઓને અંગે લેવા દેવામાં આવ્યાં છે, તે માત્ર ખરતરગચ્છવાળાના પ્રતિબંધી તરીકે છે એટલું જ નહિં પરંતુ શાસ્ત્રકાર અને શ્રી તપાગચ્છવાળાઓએ તે તિથિની સંજ્ઞા રાખવામાં ત્રણ વસ્તુ માન્ય રાખી છે. (૧) પર્વતિથિની હાનિ–વૃદ્ધિ ન હોય ત્યારે ઉદયને ફરસનારી તિથિ પ્રમાણુ ગણવી એટલે ચોવીસે કલાક તે તિથિ લેવી. (૨) પર્વતિથિને જ્યારે પણ ક્ષય આવે ત્યારે તે પર્વતિથિ ઉદયવાળી ન હોય અને તેથી તે વખતે તેનાથી પહેલાંની અપર્વ તિથિનું નામ પણું ન લેવું. પરંતુ વીસે કલાક એટલે આખા અહેરાત્રમાં ક્ષીણ એવી પર્વતિથિની સંજ્ઞા રાખવી. (૩) ટીપણામાં જ્યારે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસના ઉદયને જ પ્રમાણુ ગણીને તે બીજા દિવસની તિથિને જ ઔદચિકી ગણવી અને તે પર્વતિથિની સંજ્ઞા તે બીજા દિવસને જ આપવી. (૫ર્વતિથિના ક્ષયની વખતે જેમ ઉદયવાળી અપર્વ તિથિ છતાં તેની સંજ્ઞા ફરે છે, તેમ અધિક ઉદયને વખતે પહેલા ઉદયને અપ્રમાણુ ગણવાથી તે ઉદયની-અપેક્ષાએ તે અહોરાત્રને તે તે પર્વતિથિની સત્તા મળી શકતી નથી) નવાવર્ગ અધિક માસની સાથે અધિક તિથિને સર્વથા સરખાવટમાં લેવા માગે છે, પરંતુ તેણે વિચારવું જોઈએ કે-માસની વૃદ્ધિ સંક્રાતિના ઉદયના અભાવને અંગે છે, જ્યારે તિથિની વૃદ્ધિ ઉદયની અધિકતાને લીધે છે. ઉપર જણાવેલા વસ્તુતવને નહિ સમજતાં જેઓ શ્રી દેવસૂર તપગછમાં હાઈને પિતાની કલ્પનાથી તેની સમાચારીને લોપ કરે છે. અને પ્રતિ૧૯ આ પાઠને અર્થ તથા વિવેચન આ પુસ્તક પૃષ્ઠ ૭૮-૭૯ માં આવી ગયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy