SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૫૪ ઉપરના પાઠમાં “અન્ય સંજ્ઞાપણ થાય છે અને ગૌણ મૂખ્યતયા ચતુર્દ શી વ્યપદેશ ચગ્ય છે' એવાં જે સૂચવે કરવામાં આવ્યાં છે તેથી પણ એજ સિદ્ધ થાય છે કે–પર્વ તિથિના ક્ષયે તેની : પૂર્વ તિથિનો ક્ષય કરી શકાય જ એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૧૦ થી ૧૪ જ આ આખા પાકને સળંગ રીતે વાંચનાર મનુષ્ય એમ કબુલ કર્યા સિવાય રહી શકે જ નહિ કે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ ટીપણુમાં હોય ત્યારે તેનાથી પૂર્વ અપર્વ તિથિની હાનિવૃદ્ધિ કરવી જ જોઈએ. આ આખો પાઠ ઉદયવાળી તેરશને પણ તેરશ કહેવાની મનાઈ સિદ્ધ કરનાર છે. અને ઉદય વગરની ચાદશને ટીપણાની તેરશ છતાં પણ તે આખે દિવસ દશજ છે એમ કહેવાનું સાબીત કરનારો છે. અને એ રીતે જ્યારે પર્વ તિથિના ક્ષયની અનિષ્ટતા ટાળવા માટે અને પર્વતિથિના પરિસંખ્યાનના રક્ષણ માટે ઉદયવાલી પણ પૂર્વની અપર્વતિથિને એ અપર્વતિથિરૂપે કહેવાનું નિષેધે છે, તો પછી પર્વતિથિની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે પણ પર્વ તિથિની પરિસિંખ્યાનનું રક્ષણ કરવાની જરૂર જ હોવાથી પહેલી તિથિમાંથી પર્વ તિથિપણું કાઢી નાખવું જ પડે. એ વર્ગ તરફથી આ ખંડિત કરીને આપવામાં આવેલા પાઠ ઉપરથી સ્પષ્ટપણે સમજુ માણસ સમજી શકશે કે તે વર્ગની દાનત આવી રીતે પાઠ રજુ કરીને સાચી વાત છુપાવવી અને ટુકડા ટૂકડા રજુ કરવાવડે શ્રમ ઉત્પન્ન કરવો એ તેમને આશય દેખીતે જણાય છે. આ આખો પાઠ સમજનાર મનુષ્ય સહેજે સમજી શકે કે આ પાઠ શ્રી દેવસૂર સંઘની જે સામાચારી પર્વ કે પર્વનન્તર પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરવાનું પ્રતિપાદન કરે છે તે સત્ય જ છે, તેમ જણાવે છે. ૧લ્લ થી ન નીકળેલો એ વર્ગ જેવી રીતે શ્રી દેવસૂર સંઘની સમાચારીને ઉઠાવનારો બન્યા છે, તેવી રીતે આ પાઠે રજૂ કરવામાં પણ આ ગ્રન્થના વચલા વચલા ભાગને જાણી જોઈને છેડી દઈ ગ્રંથકારના આશયને લોપવા પ્રયત્ન કરનાર બને છે. આથી “તવતરંગિણી” ગાથા ૪ અને તેની ટીકાના સળંગ ભાગને વાંચનારે મનુષ્ય કેઈ દિવસ પણ આ નવા વર્ગની અસત્યતાને જાણ્યા માન્યા અને કહ્યા સિવાય રહી શકે જ નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy