SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૩૫ કરવામાં આવે તો ૩૬૦ રાત્રિ-દિવસનું ઉલ્લંઘન થાય કે નહિ? અને તેને જે ઉલ્લંઘન કર્યું કહેવાય છે તેવા ઉલ્લંઘનને દેશપાત્ર કહેવાય કે નહિ ? (૧૭) આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હોય છે, અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધા તિથિના ભગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હોય છે એજ એક હેતુથી – પૂર્વ તિથિદ્ય (તિથિ ) વૃદ્ધો ગ્રાહ્ય ( ) તત્ત”—એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂવ તિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તર તિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાય છે કે તેવી આજ્ઞા કરવામાં ભગવટાની સમાપ્તિ સિવાયનો કઈ હેતુ રહેલું છે? (૧૮) કલ્યાણક તિથિઓ એ પર્વ તિથિઓ ગણાય કે નહિ? (૧૯) ઉદય, ક્ષય, અને વૃદ્ધિ સંબંધીના જે નિયમ ચતુષ્પવી, પંચપવી અને ષવીને લાગુ થાય તે જ નિયમ અન્ય સર્વ પર્વતિથિઓને લાગુ થાય કે નહિ? (૨૦) પૂર્ણિમા અને કલ્યાણકતિથિઓએ બેમાં અવિશેષતા છે કે વિશેષતા છે ? (૨૧) બીજ, પાંચમ, આઠમ, અગિઆરશ અને ચૌદશે પરભવના આયુષ્ય બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિઓ આદિએ ખરી કે નહિ? (૨૨) તિથિ દિન માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે, જેન ટિપનક વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષ થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગ માનવું જોઈએ એવું ફરમાન છે કે નહિ ? (૨૩) અમુક દિવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષય તિથિ કે વૃદ્ધા તિથિ છે એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈનશાસનમાં “ચંડાશુગંડુ” નામનું લૌકિક પંચાંગ જ આધારભૂત મનાય છે કે નહિ? (૨૪) પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. સુ. પના કરતાં ભાસુ૪ એ પ્રધાન પર્વ છે કે નહિ ? (૨૫) કાતિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કે દિવસે થાય ? વિ. સં. ૧૯ના મગશર શુ. ૨ બુધ ) તા. ૯-૧૨-૪૨. વિજયરામચંદ્રસૂરિ શ્રી જૈન સાહિત્ય મંદિર પાલીતાણા ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy