SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ તેમાં આવેલ વિષયોની વિપરીતતા જાહેર થાય ત્યાં સુધી અભિપ્રાય બાંધતાં જરૂર થેભવું. તા. ક–૧. વૈદ્યના બહાર આવેલા લખાણમાં તા. ૩ જુન છે, સેવકપત્રમાં પાલીતાણાથી તા. ૧લી જુને, મુંબઈ સમાચારમાં અમદાવાદથી તા. ૧ જુને, વંદેમાતરમમાં તા. ૬ જુને અને વીરશાસનમાં તા. ૧૧ મી જુને તે લખાણ શેઠને મેકલ્યાના સમાચાર પ્રગટ થાય છે. અને તા. ૧૪મી જુને તટસ્થતા તુટ્યાનો તાર અત્રેથી શેઠ ઉપર મુકવામાં આવે છે અને શેઠ તે વૈદ્યનું લખાણ વૈદ્યની સહી થયા પછી એક મહિના કરતાં પણ વધારે મુદત એટલે તા. ૫ મી જુલાઈએ અમદાવાદથી બન્નેને રજીસ્ટરથી મેકલે છે. આ બધું વિચારનારે સુજ્ઞ વર્ગ તટસ્થની કાર્યવાહી ભરેસા લાયક નથી રહી, એમ ચોકકસ સમજી શકશે. ૨ શેઠ ઉપર જે લખાણ મુદત પ્રમાણે પાલીતાણાથી તા. ૫–૧-૪૩ ના રજીસ્ટરથી ગયું હતું તેને માટે તે લખાણમાં જણાવેલ “પ્રેષિત” શબ્દ અને લખાણની મુદત ઓળંગીને તા. ૬-૧-૪૩ ના દિવસે પાલીતાણાથી માણસ મોકલી તા. ૭-૧-૪૩ ના દિવસે કસ્તુરભાઈને હાથે હાથ મોકલાયું તેને માટે વપરાયેલા ‘ પ્રદત્ત” શબ્દ શું લેખમાં એક પક્ષને હાથ સ્પષ્ટ નથી કરતો ? અને જે એમ હોય તે તે લખાણ સ્વતંત્ર વૈદ્યનું નહિ, પરંતુ નવીન પંથના હસ્તક્ષેપવાળું જ ગણાય અને તેથી તે લખાણની વિપરીતતા રામવૈદ્ય કે નવા પંથના નામે જાહેર થાય તે પણ અયોગ્ય નહિં ગણાય. કપડવંજ તા. ૧૧-૮-૪૩ છે આને દસાગરના ધર્મલાભ વાંચવા. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા આવનાર તિથિચર્ચાને નિર્ણય પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. અને આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ બે વચ્ચે હતું. તેમાં પૂ.આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ શેઠશ્રી કસ્તુરભાઈ દ્વારા નિર્ણય બહાર ન પડે તે અગાઉ જૈન જનતાને નિર્ણય ન માનવા માટે ચેતવણી નં. ૧ કાઢી ચેતાવી હતી. અને તે ચેતવણી બાદ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના નામે આ. વિજયરામચંદ્રસૂરિદ્વારા પ્રચાર પામેલ ૨૭–૩–૪૩ ના નિવેદનમાં ત્યારબાદ આ. સાગરાનંદસૂરીશ્વરજીએ તા. ૫–૧–૪૩ ના રોજ એક પત્રિકા બહાર પાડી અને તેમાં ડું, વઘ તટસ્થ રહ્યા નથી એ આક્ષેપ મૂક્યો, અને જણાવ્યું કે તેથી ડો. વિદ્યાને ચૂકાદો તેમને માન્ય તેમજ બંધનકારક નથી.” આ શબ્દ લખી પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું નિર્ણયમાંથી છૂટા થવાપણાની જાહેરાત અને કબુલાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy