SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ રામવિ –asvzમી જમી આશા પૂજ્ય–વિવાદમાં બીજાના આધારે નિર્ણય તે કાલિક નિર્ણય. પરંતુ સર્વજગ્યા ઉપર કાલિક નિર્ણય નથી. વૈદ્ય-કાર્યો અને ગ્રાશન અર્થ તમે શું કરે છે ? પૂજ્ય–પર્વતિથિના વિવાદના નિર્ણય માટે તે શબ્દ છે અને તિથિ નિર્ણય થયા પછી આરાધના તો બન્ને પક્ષને સંમત છે. વૈદ્ય–ક્ષયવૃદ્ધિ પ્રસંગે જ્ઞાતિદિ એ બેલાય છે તે શા માટે? પૂજ્ય–પરાધન કરનાર પૂછે કે આજ કઈ તિથિ છે અને તિથિને નિર્ણય થાય તે પર્વ નિમિત્ત લીધેલ વ્રત નિયમને અમલ કરી શકાય તે સારૂ. વૈદ્ય–અષ્ટમીક્ષયે નવમીના દિને અષ્ટમીનું કૃત્ય કરી શકતા નથી માટે સપ્તમીસ્પર્શતી અષ્ટમી કરે અને સપ્તમીયુક્ત અષ્ટમી બોલો તો વાંધો છે? પૂજ્ય–વ્યપદેશને જ અભાવ છે, પછી સાથે તિથિ ઉચ્ચારવાની રહેતી નથી. વૈદ્ય-મિશ્રા સપ્તમી-અષ્ટમી, મિશ્રા ત્રાદશી ચતુર્દશીના વ્યવહાર કરવામાં દેષ છે? પૂજ્ય–હા, સપ્તમીના વ્યવહારને અભાવ કરીને અષ્ટમી સંજ્ઞા આપ્યા બાદ અષ્ટમી તિથિ કરીને જ અષ્ટમી સંબંધી આરાધના કરવી. વૈદ્ય-પૂર્ણિમા અને અમાવાસ્થાના ક્ષયે પૂર્વ પૂર્વતરને ક્ષય કરે છે તે કેવી રીતે ? રામવિક–પૂર્ણિમાક્ષ ચતુર્દશીમાં પૂર્ણિમા કરવી અને ત્રાદશીને ક્ષય કરી ત્રાદશીમાં ચતુર્દશી કરવી એમાં અમારે માટે વિરોધ છે. પૂજ્ય—પૂર્વે ચાતુર્માસિક પૂર્ણિમા અને અમાવાશ્યાએ થતું હતું અને હવે ચતુર્દશીએ ચાતુર્માસિક કરાય છે પરંતુ બન્નેનું પર્વ પણું જતું નથી. રામવિ–પૂર્વે પૂર્ણિમાદિએ થતું હતું અને હવે ચતુર્દશીએ થાય છે માટે ચતુર્દશીનું મુખ્ય પણું અને પૂર્ણિમાનું ગૌણપણું છે. પૂજ્ય-નહિં, ચતુષ્પવીમાં પૂર્ણિમા ગણત્વ અને ચતુર્દશી અગૌણત્વ નથી. વૈદ્ય--આરાધ્યત્વેન બે તિથિ છે એમાં વધે છે છે? પૂજ્ય બે તિથિને સંજ્ઞા અલગ અલગ આપીને આરાધના કરવી. કારણકે બે તિથિ આરાધ્ય છે, અને તેથી જ પૂર્ણિમાએ શ્રીસિદ્ધગિરિજીની યાત્રાનું પ્રાધાન્ય છે, અને ચતુર્દશીએ ચાતુર્માસિક પ્રતિક્રમણાદિનું પ્રાધાન્યપણું છે. વૈદ્ય-દરેક માસમાં ચતુર્દશી અને પૂર્ણિમાદિને અલગ અલગ-સંજ્ઞા આપવાનું પ્રયોજન શું? પૂજ્ય–-બ્રહ્મચર્ય—તપ જપ-વ્રત નિયમની આરાધના તે તે પર્વની નિયમિત અલગ અલગ થવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy